ફરી પાછો ચીને કર્યો દગો... લદાખમાં LAC પર થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 જવાન શહીદ, ચીન ના પણ 43 સૈનિકો હતાહત

LAC પર સોમવારે ચીન સાથે આશરે ૪૫ વર્ષ પછી હિંસક ઝડપ થઈ હતી. આ હિંસક ઝડપ ભારત ના સૈનિકો શહીદ થઈ ગયા હતા. ગઈકાલે એટલે કે મંગળવારે બપોરે પણ એક આર્મી ઓફિસર અને બે જવાનોની શહીદ થવાની જાણકારી સામે આવી હતી, પણ આજે સમાચાર એજન્સી એ.એન.આઈ એ સરકારી સૂત્રોના માધ્યમથી જણાવ્યું હતું કે આ ઝડપમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા છે. ખબર એવી પણ આવી રહી છે કે આ સંખ્યા વધી શકે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સમાચાર એજન્સી અનુસાર આ ઘટનામાં ચીની સેના ના પણ 43 જેટલા સૈનિકો હતાહત થયા છે. આ સંખ્યા માંથી થોડા ઘાયલ છે તો થોડા મૃત્યુ પામ્યા છે. જણાવી દઈએ કે સોમવારે રાત્રે બલવાન ઘાટી પાસે બંને દેશોની વચ્ચે વાતચીત પછી બધું સામાન્ય થવાની સ્થિતિ આગળ વધી રહી હતી એવામાં સોમવારે રાત્રે જ બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી.

આ ઘટનાને પગલે હિમાચલ પ્રદેશ થી જોડાયેલ જેને સીમા કોના ક્ષેત્રમાં એલર્ટ કરવામાં આવ્યું છે. એલર્ટ ની સાથે જ હિમાચલ પોલીસ દ્વારા ત્યાં ની બધી ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી.

આ ઘટના બની ગયા પછી ભારતીય સેનાએ બયાન જાહેર કર્યું હતું. આ બયાનમાં જણાવવામાં આવ્યું હતું કે 15 જૂનની રાત્રે ગલવાન ઘાટી ક્ષેત્રમાં હિંસક ઝડપ થઈ હતી જે ઘટનામાં 20 સૈનિક શહીદ થયા હતા.

રાજ્યના બે જિલ્લા સાથે ચીનની સીમા લાગુ પડે છે, એટલે આ વિસ્તારમાં રહેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની એડવાઇઝરી પણ જારી કરવામાં આવી હતી.

આ ઘટના પર આની પહેલા વિદેશ મંત્રાલય એ પણ બયાન જાહેર કર્યું હતું. વિદેશ મંત્રાલય કહ્યું હતું કે ભારતે હંમેશા LAC નું નું સન્માન કર્યું છે અને ચીનને પણ આવું કરવું જોઈએ.

વધુમાં મંત્રાલય ઉમેર્યું હતું કે ગઈ કાલે જે LAC પર થયું તેના થી બચી શકાય તેમ હતું, આનું નુકસાન બંને દેશોને ઉઠાવવું પડ્યું છે.

આ ઝડપ થયા પછી દિલ્હીમાં પણ બેઠકોનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. રક્ષા મંત્રી ની બેઠક પણ ડિફેન્સ સ્ટાફ જનરલના ચીફ અને સેના પ્રમુખ સાથે થઈ હતી. રક્ષામંત્રીએ આ સંપુર્ણ મામલાની જાણકારી પીએમ ને પણ ફોન પર આપી હતી. તો વિદેશ મંત્રી એ પણ પ્રધાનમંત્રી ના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી હતી.

ગઈકાલે એટલે કે મંગળવારે બપોરે ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા આધિકારિક બયાનમાં જણાવવામાં આવ્યું હતું કે બલવાન ઘાટીમાં સોમવારની રાતે ડી-એસકેલેસન ની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી, આ દરમિયાન ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ ઘટના પછી ચીની વિદેશ મંત્રાલયનું પણ આધિકારિક બયાન સામે આવ્યું હતું, એ બયાનમાં ઉલટુ ભારત ઉપર ઘુસપૈઠ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર બેજીંગનો એવો આરોપ છે કે ભારતીય સૈનિકોએ બોર્ડર ક્રોસ કરીને ચીની સૈનિકો પર હુમલો કર્યો હતો. ચીની વિદેશ મંત્રાલય તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ભારત આવી સ્થિતિમાં એક તરફી કાર્યવાહી ન કરે.

અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર હકીકતમાં ડી-એસકેલેસન ની પ્રક્રિયા દરમ્યાન ચીની સૈનિકોએ જ હુમલા ની શરૂઆત કરી હતી. ચીને એક વખત ફરી ભારતને દગો આપ્યો છે, હકીકતમાં LAC પર તણાવ વધતાં નક્કી કરવામાં આવ્યો હતો કે 15 જુનના દિવસે સરહદ પર ચીનની સેના નો જમાવડો ઓછો થશે. ચીની સેના ગલવાન ક્ષેત્રમાં પોતાના વિસ્તારમાં પાછી ફરી જશે. બંને પક્ષોની વચ્ચે પહેલેથી જ સમજૂતી થઈ ગઈ હતી કે 16 જૂને અનારી ભારતીય સેનાના મોટા અધિકારીઓની બેઠક પહેલા ચીની સેના પાછી હટશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પરંતુ આવું થયું નહીં, અને તે લોકો જાણી જોઈને સેના પાછી ફરવાનો સમય ટાળતા રહ્યા. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર થોડા સમય પછી ચીનની સેનાએ ભારતીય જવાનોને ઘેરી લીધા હતા, એ સમયે ભારતના એક સૈનિક ની સામે ચીનના ત્રણ સૈનિક હતા. પરંતુ તેમ છતાં ના માત્ર ભારતના જવાનોએ માત્ર મુકાબલો કર્યો પરંતુ ચીની સેનાને સામે મુંહતોડ જવાબ પણ આપ્યો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team