જૂનાગઢ દર્શન કરી પાછા ફરતી વખતે ગાડી બંધ થઈ ગઈ, પરંતુ થોડીવારમાં જે થયું તે જાણીને તમે પણ…

આ સિવાય બાળકો પણ સાથે હોવાથી અમારા થી પણ વધારે તેઓની ચિંતા થતી હતી. ગાડી રિપેર કર્યા પછી તમે જણાવ્યું હતું કે તમે ત્યાં જુનાગઢ થી નજીક એક ગામમાં ગેરેજ ચલાવી રહ્યા છો.

અમે તમારો ખુબ આભાર માન્યો હતો અને તમને પૂછ્યું હતું કે આ સમયમાં તમે અમારી મદદ કરી છે આ મદદ ની કોઈ કિંમત આંકી ન શકાય તેમ છતાં તમને કેટલા રૂપિયા આપુ એમ પૂછ્યું ત્યારે તમે જે જવાબ આપ્યો હતો તે મને આજે પણ યાદ છે.

તમે મારી સામે બે હાથ જોડીને કહ્યું હતું કે મારો સિદ્ધાંત છે કે હું મુશ્કેલી માં પડેલી વ્યક્તિ ની કરેલી મદદના બદલામાં ક્યારેય એક પૈસો નથી લેતો. મારી કરેલી એ મજૂરી નો હિસાબ સીધો ભગવાન જ રાખે છે.

ડોક્ટરે ફરી પાછું કહ્યું, તમારા કહેલા આ શબ્દો એ દિવસથી મારી પ્રેરણા બની ગયા હતા અને હું તે દિવસથી જ વિચારવા લાગ્યો કે તમારી જેમ મજૂરી કરીને કમાઈ રહેલો સામાન્ય માણસ તો આવો ઉચ્ચ વિચાર ધરાવે છે અને તેનું પાલન પણ કરી શકે છે તો હું શું કામ ન કરી શકું. એ દિવસથી મેં પણ મારા જીવનમાં એ જ સંકલ્પ લીધો હતો. આજે આ વાતને સાત-આઠ વર્ષ થઈ ચૂક્યા છે.

મારા જીવનમાં તે દિવસથી આજ સુધી કોઈ દિવસ ખામી નથી આવી તેમજ અપેક્ષા થી પણ વધારે મને મળતું રહ્યું છે. આ હોસ્પિટલ મારી જ છે એટલે તમારી જ પ્રેરણા લઈને મેં કરેલા સંકલ્પ પ્રમાણે હું તમારી પાસેથી કંઈ નહીં લઈ શકું. અને ભગવાનનો આભાર માનીશ કે આવી વ્યક્તિ ની સેવા કરવાનો મને મોકો મળ્યો.

તમે કહ્યું હતું એ પ્રમાણે ભગવાનને તમારી મજૂરીનો પૂરેપૂરો હિસાબ રાખ્યો અને આજે એ હિસાબ ચૂકવી દીધો, પછી ડોક્ટરે કહ્યું કે મારી મજબૂરી નો હિસાબ પણ મને જ્યારે પણ ક્યારેય જરૂર હશે ત્યારે અચૂક ભગવાન જ ચૂકવી દેશે.

ફરી પાછું ડોક્ટરે તેને કહ્યું તમે હવે આરામથી ઘરે જાઓ અને થોડા દિવસ સુધી આ દવાઓ લેતા રહેજો, બીજું કોઈ પણ જાતની કાંઈ પણ તકલીફ હોય તો કોઈપણ સમયે મારી પાસે વિના સંકોચે આવી જજો.

ડોક્ટરે પોતાની વાત આગળ વધારતાં કહ્યું… પરંતુ ભાઈ, આજે તમારે મને એક વાતનો જવાબ આપવો પડશે…

દર્દી ઘણા સમયથી બધું સાંભળી રહ્યા હતા, તેને ડોક્ટર સાહેબને કહ્યું બોલોને સાહેબ તમારે જે પૂછવું હોય તે પૂછો? ડોક્ટરે કહ્યું તમે એ રાત્રિના ત્રણ વાગ્યે એ હાઇવે ઉપર કેમ નીકળ્યા હતા? મને આ સવાલ વર્ષો સુધી થતો આવ્યો છે કે એવું તે શું હશે કે આપણા બંને નો ભેટો થઈ ગયો???

દર્દીએ જવાબ આપતા કહ્યું સાહેબ એ દિવસે હું હોસ્પિટલના કામથી અમારા એક સંબંધીને જોવા માટે શહેરમાં ગયો હતો. રાત્રિના ખૂબ જ મોડું થઈ ગયું હોવાથી હું એ દિવસે હોસ્પિટલમાં જ રોકાઈ જવાનો હતો પરંતુ ખબર નહીં કેમ મને અડધી રાત્રે વિચાર આવ્યો કે ઘરે પત્ની અને બાળકો એકલા છે તો હું ઘરે જતો રહું ફરી પાછો આવતીકાલે પહોંચી જઈશ. કદાચ ભગવાને જ મને એ વિચાર કરાવ્યો હશે અને રસ્તામાં આ રીતે આપણા બંને નો ભેટો થઈ ગયો.

ડોક્ટર અને દર્દી એકબીજા સામે સ્મિત કર્યું અને દર્દી કેબિનમાંથી બહાર જવા લાગ્યા. બહાર જતી વખતે દર્દીને ડોક્ટર સાહેબ ની કેબિનમાં રાખેલી ભગવાનની તસ્વીર દેખાઈ અને તેને ભગવાનની તસ્વીર સામે હાથ જોડીને કહ્યું કે હે ભગવાન, આજે તમે મારા કર્મોનો પૂરેપૂરો હિસાબ ચૂકતે કરી દીધો એ પણ વ્યાજ સાથે.

આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે કરેલા કર્મ આપણી પાસે ફરી પાછા આવે જ છે. અને એ પણ વ્યાજ સાથે આવે છે એટલે જેટલું બને તેટલું સારા કર્મો કરવાની કોશિશ કરવી જોઈએ જે નો હિસાબ આપણને વ્યાજ સાથે ભગવાન ચૂકવશે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel