ઘણા સમય પહેલાંની વાત છે, જગદીશભાઈની દીકરી ના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા. અને લગ્નના થોડા વર્ષો થયા પછી અચાનક જમાઈને ધંધામાં ખૂબ જ મોટી ખોટનો સામનો કરવો પડ્યો હતો.
જમાઈને એ સમયે પાંચ લાખ રૂપિયાની જરૂર હતી, તો જ તેનો વેપાર ધંધો ફરી પાછો પહેલાની જેમ ચાલતો થાય તેમ હતો. ભલે પાંચ લાખ રૂપિયા તે મોટી રકમ ન હતી પરંતુ મિડલ ક્લાસ ફેમિલી માટે તો પાંચ લાખ રૂપિયા પણ ખૂબ જ મોટી રકમ કહેવાય.
એ સમયે જમાઈને મદદ કરવા માટે તેઓએ પાંચ લાખ રૂપિયા તેના જમાઈને આપ્યા હતા. જગદીશભાઈ એ આ પૈસા આપી દીધા અને પૈસાથી મદદ કર્યા પછી તેના જમાઈ નો ધંધો પણ ફરી પાછો ચાલવા લાગ્યો.
અલબત્ત તેનો ધંધો પહેલાં કરતાં પણ વધુ સારી રીતે ચાલવા લાગ્યો. જમાઈને જગદીશભાઈએ પૈસા આપ્યા હતા પરંતુ જમાઈ નો ધંધો ફરી પાછો ચાલતો થઈ ગયો હોવા છતાં જમાઈએ આ પૈસા તેને હજુ પાછા નહોતા આપ્યા.
પૃષ્ઠોઃ આગળ વાંચો