ઘરમાંથી બધા નોકરો જતા રહ્યા પછી શેઠને છાતીમાં દુખાવો થયો એટલે મેડિકલ સ્ટોરમાં ગયા પરંતુ પછી તેની સાથે જે થયું…

રાત્રીના લગભગ દસ વાગ્યા હશે, એક માણસ તેના અત્યંત વૈભવી ઘરમાં બેઠો હતો, ઘરના વૈભવ વિશે થોડો પરિચય આપવામાં આવે તો લગભગ દરેક પ્રકારનો વૈભવ તે ઘરમાં મોજુદ હતો. નોકર-ચાકર થી લઈને એક સામાન્ય કામ કરવું હોય તો પણ માણસ રાખવામાં આવેલ હતો.

બહાર બગીચા માટે માળી, ઘરમાં ત્રણ જેટલા નોકર પણ હતા અને એક ડ્રાઈવર આમ આટલા લોકો સતત ઘરમાં રહેતા. પરંતુ રાત્રિના લગભગ નવ વાગ્યા પછી બધાનો કરો અને ડ્રાઇવર પોતાની ઘરે જતા રહેતા ફરી પાછા બીજે દિવસે સવારે આવી જતા.

ઘરમાં શેઠ એકલા જ રહેતા હતા, ઘરમાં બીજું કોઈ રહેતું ન હતું. નોકરો અને બધા કામ કરનારાઓ પણ સવારે આવતા અને સાંજે સમય થતા પોતપોતાના ઘરે જતા રહેતા.

ઘરમાં શેઠ એકલા જ રહેતા હતા, પૈસાની કોઈ પણ જાતની ખામી ન હતી એક રાત્રીના લગભગ દસ વાગ્યા આસપાસ શેઠ ને અચાનક શરીરમાં કશું થવા લાગ્યું. તરત જ અણસાર આવ્યો કે તેને એલર્જી થઇ છે.

શેઠને આવું થવું તે સામાન્ય બાબત હતી એટલે તે ગભરાયા નહીં અને તરત જ પોતાની દવા લેવા ટેબલ પાસે ગયા પરંતુ જોયું તો ટેબલ માં એક પણ દવા બચી ન હતી. અને ઘરે બીજી દવા ન હોવાને કારણે હવે ઘરની બહાર નીકળવું પડે તેમ હતું, ઘરમાં ગાડી હતી પરંતુ ડ્રાઇવર ન હોવાથી ગાડી લઈને જઈ શકાય તેમ ન હતું.

શેઠ ના ઘરેથી મેડિકલ સ્ટોર કંઈ બહુ દૂર ન હતો ચાલીને જઈએ તો બહુ બહુ તો એક મિનિટ જેટલો સમય લાગે. પરંતુ વાતાવરણ વરસાદનું હોવાથી વરસાદ ચાલુ હતો એટલે શેઠે વિચાર્યું કે તેઓ રિક્ષામાં જતા રહેશે, ઘરની બહાર નીકળ્યા દવાની દુકાન તો વધારે દૂર ન હતી પરંતુ વરસાદ હોવાથી તેઓએ રીક્ષા લેવા નું વિચાર્યું હતું.

શેઠના ઘરની થોડા પગલાં આગળ ચાલીએ એટલે ત્યાં એક ભવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું હતું. શેઠ નું ધ્યાન પડ્યું કે ત્યાં મંદિરના નિર્માણ થઇ રહ્યું હતું ત્યાં કોઈ રીક્ષા ઉભી છે, શેઠ રીક્ષા પાસે ગયા પરંતુ રિક્ષામાં કોઈ ન હતું. આજુબાજુમાં નજર કરી તો એક માણસ મંદિર સામે જોઈને જાણે પ્રાર્થના કરી રહ્યો હોય એમ ઊભો હતો.

આજુબાજુ માં બીજું કોઈ ન હતું એટલે શેઠ ને થયું કે લાગે છે આ માણસ રિક્ષાવાળો જશે તેમ છતાં શેઠે તેને પૂછ્યું કે આ રીક્ષા તમારી છે? પેલા માણસે હા માં જવાબ આપ્યો શેઠે પૂછયું મારે અહીં બાજુમાં જ જવું છે, આવશો?

રીક્ષાવાળાએ હા કહી એટલે રીક્ષા માં બેસી ગયા શેઠ અને પેલો માણસ પણ રીક્ષા હંકારવા લાગ્યો. રિક્ષાના અરીસામાંથી તે માણસ નું મોઢું અસ્પષ્ટ રીતે બતાવી તો રહ્યું હતું, પરંતુ આવા અંધકારમય વાતાવરણમાં પણ તેના મોઢા ઉપરથી આંસુ વહી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું અને તે પોતે પણ બીમાર હોય તેવું લાગી રહ્યું હતું.

શેઠે મેડિકલ સ્ટોર નું સરનામું આપ્યું પછી રીક્ષા વાળા ને પૂછ્યું કેમ ભાઈ, રડી રહ્યો છે? લાગે છે તારી તબિયત ઠીક નથી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel