ગાય નું મહત્વ: ગાયને વાસી રોટલી કે ખોરાક આપતા પહેલા આ જાણી લો
હિન્દુ સંસ્કૃતિ માં ગાય ને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે લગભગ દરેક ના ઘર માં પહેલી રોટલી ગાય માટે બનતી હોય છે પરંતુ તે જયારે ગાય ને ખવડાવવા માં આવે છે ત્યારે તે રોટલી વાસી થી ગઈ હોય છે બહુજ ઓછા લોકો હશે કે ગરમ રસોઈ ગાય ને આપતા હશે
પરંતુ ગાય ને વાસી રોટલી કે ખોરાક આપતા લોકો પહેલા આટલું જાણી લે કારણ કે આપણે ઘણા વર્ષો થી આ ભૂલ કરીયે છીએ હિન્દૂ ધર્મ માં ગાય ને વિશેષ સ્થાન પ્રાપ્ત છે અને આપણા શાસ્ત્રો માં તો ગાય ને ઘરે પાળવાની અને તેની સેવા કરવાની વાત કહેવામાં આવી છે
કારણ કે ગાય ની અંદર તેંત્રીસ કોટી દેવતાઓ નો વાસ રહેલો છે અને આજ કારણે ગાય ને પૂજનીય ગણવામાં આવે છે તેના ધાર્મિક મહત્વ ની સાથે સાથે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ગાય ને પાળવા અને તેના દૂધ અને તેમાંથી બનતી બધી વાનગીઓ આપણા સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક છે
ફક્ત દૂધ જ નહિ ગૌમૂત્ર અને ગાય ના ગોબર માંથી પણ અનેક પ્રકાર નો ફાયદો મળે છે ટૂંક માં વાત કરીયે તો ગાય નું આપણા દિલ માં ધર્મ માં અને ઘર માં એક મહત્વ નું સ્થાન ધરાવે છે પણ ગાય ને વાસી ખોરાક ખવડાવવા ના ગેરફાયદા આપણે જાણીયે આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આટલી બાબત જાણવા છતાં પણ આપણે ઘર ના દરવાજે આવતી ગાય ને આપણે વાસી ખોરાક ખવડાવીએ છીએ અથવા તો વધ્યું ઘટ્યું ખવડાવીએ છીએ જરા વિચાર કરજો આપણે ઘર માં બિરાજમાન ભગવાન ને તો ગરમ ખોરાક નો થાળ ધરાવીએ છીએ
પરંતુ ગાય કે જેમાં તેંત્રીસ કોટી દેવતાઓ નો વાસ છે તેને વાસી ખવડાવીએ છીએ જે અજંતા માં જ આપણે એ બધા દેવો ને વાસી ખોરાક આપીયે છીએ જે દેવતાઓ નો ગાય માં વાસ છે ભગવાન ને વાસી ખોરાક નો ભોગ લગાવવો જેનો સીધો મતલબ એ થાય કે આપણા ઘર માં અન્ન ની બરકત ચાલી જાય છે આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
માટે તેમાં ઝડપથી સુધારો કરી લો જેથી ભવિષ્યમાં આપણા જીવન માં અન્ન ની કે રૂપિયાની તંગી ના આવે ગાય એક શ્રેષ્ઠ જીવ છે પરંતુ આજકાલ લોકો ના જીવન ની વ્યસ્તતા અને જીવન જીવવાની રીત એવી થઇ ચુકી છે કે ગાયની સેવા કરવાનો લાભ લઇ શકતા નથી
નાના ગામડા ની વાત અલગ છે પરંતુ શહેરમાં ગાય નું પાલન પોષણ કરવું અત્યંત કઠિન કામ છે શહેર માં ગાય ને રોટલી આપવા માટે પણ દૂર સુધી જઈ ને પણ અમુક લોકો પુણ્ય કમાઈ લે છે સામાન્ય રીતે પોતાના વિસ્તારમાં ગાય આવતા રાત નું વધ્યું ઘટ્યું ગાય ને આપે છે
તેની પાછળ નું કારણ એ છે કે અન્ન ને ફેંકવું ના પડે અને ગાય ને ખવડાવી અને પુણ્ય કમાવા મળે છે પરંતુ એ વાત પણ જાણી લો કે પુણ્ય ના બદલે પોતે વાસી ખવડાવી ને પાપ કમાઈ રહ્યા છે જયારે આપણે ઘર માં રોટલી કે કોઈ પણ જાત ની રસોઈ બનાવીયે ત્યારે પહેલા ગે માટે બનતું હોય છે
જે જેટલું બની શકે એટલું ઝડપથી ગાયને ખવડાવો કારણ કે લગભગ બધી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ગાય માટે બનાવીએ છીએ પરંતુ તેને ખવડાવવા નો સમય નથી એટલે વાસી થઈ જાય ત્યારે આપીયે છીએ અને તેત્રીસ કોટી દેવતા નું અપમાન કરીયે છીએ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.