એક વ્યક્તિએ સંતને પૂછ્યું, મારી પાસે કરોડો રૂપિયા છે પણ મારો પુત્ર મારી એક વાત પણ માનતો નથી, તે સંતે એવો જવાબ આપ્યો કે તે વ્યક્તિ…
શહેર માં એક સંત પોતાના પરિવાર સાથે સુખ શાંતિ થી કેવી રીતે રહેવું અને પરિવાર ના સભ્યો ને સંસ્કારી કેમ બનાવવા, તે વિષય પાર તેનું પ્રવચન આપી રહ્યા હતા આખો હોલ ભરચક હતો. અને બધા એકચિત્તે સંત ને સાંભળી રહ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
સંત નું પ્રવચન પૂરું થતા તેના નજીક થી દર્શન કરવા વાળા અને પગે લાગવા વાળા લોકોની લાઈનો પણ નાની નહોતી. સંત ને ત્યાં થી શહેર ના એક ખુબ જ શ્રીમંત પરિવાર શેઠ દલીચંદ ના ઘરે પધરામણી કરવા જવાનું હતું. અને દલીચંદ શેઠ પણ પ્રવચન માં હાજર હતા.
થોડા સમય પછી સંત શેઠ દલીચંદ ની સાથે તેની મોટર માં તેના મહેલ જેવા નિવાસ સ્થાને ગયા. ઘર ના સભ્યો માં શેઠ દલીચંદ અને તેના પત્ની બે જ હાજર હતા. ત્યારે સંતે પૂછ્યું કે તમારા સંતાનો ક્યાં છે? જેનો જવાબ આપવો શેઠ દલીચંદ ને પણ અઘરો થઇ પડ્યો.
અને શેઠ એકદમ ઉદાસ અવાજે બોલ્યા એ અમારે સંતાન માં એક માત્ર પુત્ર છે, અને તે તેના મિત્રો ની ખરાબ સંગત ના કારણે અમારું કઈ માનતો નથી. અને દિવસ હોય કે રાત હરવા ફરવા અને મોજ મજા કરવા માંથી નવરો જ નથી થતો.
અને વ્યસન માં પૈસા પોતાનું શરીર અને જીવન બગાડી રહ્યો છે. મારી પાસે કરોડો રૂપિયા ની સંપત્તિ છે અને તેનો એક નો એક વારસદાર છે. પણ કઈ માનતો નથી. અને ધંધા માં કશું જ ધ્યાન આપતો નથી. આટલું બોલતા શેઠ ની આખો ભીની થઇ ગઈ.
શેઠ ની વાત સાંભળ્યા પછી સંતે કહ્યું કે તમારા પિતાજી એ તમારા માટે કેટલી સંપત્તિ ભેગી કરી ને તમને આપી હતી? ત્યારે શેઠે કહ્યું કે મારુ નાનપણ તો એકદમ ગરીબી માં વીત્યું છે. મારા પિતાજી મારા માટે કશું જ મૂકી ગયા નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ત્યારે સંતે કહ્યું કે તમારા પિતાજી તમારા માટે કઈ મૂકી ગયા નથી તેમ છતાં તમે આટલા સુખી સંપન્ન છો અને તે બધું તમે તમારા દીકરા ને આપશો, અને તમને એમ લાગી રહ્યું છે કે તમારા દીકરા ને તેમ છતાં ખરાબ દિવસો જોવા પડશે?
તે તમારો ભય સાચો છે કારણ કે તમે અત્યાર સુધી પૈસા કમાવવા માં જ ધ્યાન આપ્યું અને તેના કારણે તમારા પુત્ર ને સાચી સમજણ અને સંસ્કાર આપી શક્યા નહિ. એક પિતા તરીકે તમારી ફરજ પૈસા કમાવાની સાથે સાથે તેના ભણતર ગણતર અને સંસ્કારમાં ધ્યાન આપવાની જરૂર હતી.
કારણ કે જે વ્યક્તિ તેમના સંતાનો ને માત્ર સંપત્તિ નો વારસો આપે છે અને ભણતર ગણતર અને સંસ્કાર આપવા નું ચૂકાઈ જાય છે, તે તેના સંતાનો માટે અતિ ઘાતક સાબિત થાય છે. સંતાનો ને મહેનત વિના મળેલી સંપત્તિ તેના જીવન ને બગાડી નાખે તેની પુરેપુરી શક્યતા હોય છે.
આપણા બાળકો ને નાનપણ થી જ સારા પોષણ ની સાથે સાથે સારા સંસ્કાર આપવા સારું ચરિત્ર આપવું એ ગમે તેટલી સંપત્તિ આપો તેનાથી ખુબજ ઊંચા સંસ્કાર છે. સુખી સંપન્ન પરિવાર ના અમુક સંતાનો પણ કેટલાય ગુણ નું આચરણ કરે છે.
જેની પાછળ પરિવાર માં મળતા ખોટા લાડ કોડ અને સંસ્કાર ના સિંચન નો અભાવ હોય છે. બાળકો ની દરેક ચાલ ચલન પર નજર રાખો. અને જરૂર પડે ત્યાં કડક વલણ દેખાડી ને પણ તેને સુધારો સારા સંસ્કાર નો વારસો આપ્યો હશે તો સંપત્તિ વધારે કે ઓછી હશે તેના જીવન માં તકલીફ નહિ પડે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.