એક માણસે સંત સામે જઈને કહ્યું પૈસાને જ માન મળે છે, મારી પાસે પૈસા છે એટલે મને સંતે બોલાવ્યો ત્યારે સંતે એવું કહ્યું કે...
એક નાના ગામમાં એક શેઠ રહેતા હતા જેની પાસે વર્ષોથી અઢળક સંપત્તિ હતી. અને ખૂબ જ પૈસાદાર હતા. પરંતુ સાથે સાથે ધાર્મિક પણ એટલા જ હતા.. એકવાર તેના ગામમાં એક સંત ફરતા ફરતા આવી પહોંચ્યા અને ત્યાં થોડા દિવસ માટે રોકાયા ગામના લોકોને સત્સંગનો લાભ મળે તે માટે સંત રોકાયા હતા.
દરરોજ સાંજે તે સંત નું પ્રવચન સાંભળવા માટે બધા ગ્રામજનો પોતાના કામમાંથી નિવૃત્ત થઈને મંદિરે પહોંચી જતા. ગ્રામજનોની સાથે આ અમીર ધનવાન શેઠ પણ પહોંચી જતા પરંતુ તેને કોઈ ઓળખી પણ ન શકે એવી રીતે તેઓ પોતે જાણે એક મજૂર હોય તેવો વેશ ધારણ કરીને જતા.
ત્યાં જઈને એક ખૂણામાં બેસી જતા, અને સંતનું પ્રવચન સાંભળતા. એવામાં થોડા સમય પછી એક ગરીબ જેવો દેખાઈ રહેલો માણસ ત્યાં આવ્યો. થોડા જ ગ્રામજનો હોવાથી સંત હવે લગભગ દરેકને તેના ચહેરાથી ઓળખવા લાગ્યા હતા તેને તે ગરીબ જેવા દેખાતા માણસને પોતાની પાસે બોલાવ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને પૂછ્યું કે ભાઈ તમે ઘણા દિવસ પછી આવ્યા છો? કેમ કોઈ કામકાજમાં અટવાઈ ચૂક્યા હતા કે પછી બીજા કોઈ કારણોસર નહોતા આવ્યા? સંતની વાત સાંભળીને તે ગરીબ માણસના આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા અને તેને સંતને કહ્યું કે કારણ કંઈક બીજું જ હતું.
હકીકતમાં હું જે ઝુંપડીમાં રહેતો હતો ત્યાં આગ લાગી અને મારું આખું ઘર બળીને ખાખ થઈ ગયો. હવે ઉપર આકાશ અને નીચે ધરતી બસ આજ મારું ઘર છે, મારા બાળકો અને પત્ની અમે બધા ઘર ગુમાવી ચૂક્યા છે. એટલે અમે બાજુમાં રહેલા એક ઉકરડાની બાજુમાં ખાલી જગ્યામાં રહેવા જતા રહ્યા.
તે માણસની વાત સાંભળીને સંતના હૃદયમાં અત્યંત કરુણા જાગી અને તેને પ્રવચન સાંભળવા આવેલા લોકો ને આજીજી કરતા કહ્યું કે તમને બધાને અનુકૂળ હોય તેટલી રકમ ની મદદ આ માણસને કરજો. અત્યારે ભગવાન પણ તેની પરીક્ષા લઈ રહ્યો છે. બનતી રકમનું દાન કરજો જેથી આ માણસનું ઘર પાછું બની જાય.
બધા લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા હતા પરંતુ જે મજૂર જેવા કપડાં પહેરીને શેઠ આવ્યા હતા તેને ખિસ્સામાંથી તરત જ 10 હજાર રૂપિયાની થપ્પી કાઢીને આપી દીધી.. પ્રવચનમાં હાજર રહેલા બધા લોકો તેની સામે આશ્ચર્ય ચકિત થઈને જોઈ રહ્યા હતા કારણ કે...
એક મજૂર જેવા કપડાં પહેરેલ સામાન્ય માણસ પાસે આટલા બધા રૂપિયા કેવી રીતે આવી શકે? આ સવાલ દરેકના મનમાં ઉદ્ભવ્યો. બીજા દિવસે પણ શેઠ એ જ મજુરના કપડા પહેરીને મજૂર જેવો વેશ ધારણ કરીને પ્રવચનમાં આવ્યા અને દરરોજની જેમ જ ત્યાં જઈને એક ખૂણામાં બેસી ગયા.
પરંતુ તરત જ તેના ચહેરા ઉપરથી લોકો તેને ઓળખી ગયા અને બધા લોકો તેને માન આપવા માટે ત્યાંથી ખસવા લાગ્યા. અને શેઠને જગ્યા કરી આપી પરંતુ તેને તો દરરોજની જેમ ખૂણામાં જઈને બેસી ગયા. બધા લોકો તેમની જગ્યાએ બેસી ગયા પછી સંત એ પોતાની વાત ચાલુ કરી.
તેને તે શેઠને બોલાવીને કહ્યું તમારી જગ્યા ત્યાં નથી તમે અહીંયા મારી બાજુમાં આવીને બેસો, એટલે શેઠ તરત જ ઉભા થઈને સંત પાસે ગયા અને મોટા અવાજે બોલવા લાગ્યા કે આ દુનિયામાં ખરેખર આજે પણ રૂપિયાની જ પૂજા થાય છે.
સંત સામે જોઈને તે બોલવા લાગ્યા કે બીજા માણસોની વાત અલગ છે પરંતુ તમે સંત હોવા છતાં આવું વર્તન કેમ કરો છો?? સામાન્ય મજૂરનો પહેરવેશ ધારણ કરીને હું આટલા દિવસોથી આવું છું કોઈ દિવસ મને બોલાવ્યો નહીં પરંતુ મારી પાસે રૂપિયા હોવાની ખબર પડી એટલે તરત જ મને બાજુમાં બોલાવ્યો.
ત્યારે એ સંતે જવાબ આપતા કહ્યું કે અહીંયા બેઠેલા બધા લોકો 10,000 રૂપિયા તે ગરીબ માણસને દાન કરી શકે તેવી તાકાત ધરાવે છે. એટલે મેં તમને તમારા રૂપિયાના કારણે અહીંયા બોલાવીને બાજુમાં નથી બેસાડ્યા, પરંતુ જરૂરિયાત મંદ માણસ માટે તમે તમારા 10,000 રૂપિયાની મદદ કરીને તેનો ત્યાગ કર્યો તે ભાવના દરેકમાં હોતી નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને તમારી આ પરોપકારની ભાવનાને કારણે જ મેં તમને મારી બાજુમાં બોલાવીને બેસાડીને સન્માન આપ્યું છે. બીજા માણસો માટે પોતાની પાસે રહેલી સગવડતા માંથી કોઈને કોઈ સમર્પણ કરે છે તે સમાજમાં સન્માનને પાત્ર છે. સંતનો જવાબ સાંભળીને બધા લોકો એ તાળીઓના ગડગડાટથી સંતને વધાવી લીધા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.