એક અત્યંત સુખી સોની પરિવારમાં અચાનક ધંધામાં ખોટ આવી એટલે બધું ધન જવા લાગ્યું, પરંતુ એ પરિવારે થોડા જ દિવસોમાં એવું કર્યું કે…
ધનજીભાઈ સોનીની દુકાન ત્રણ પેઢીથી ચાલી રહી હતી. અને સંયુક્ત પરિવારમાં તેના બધા દીકરા અને પૌત્ર રહેતા હતા. ઘર માં 40 વ્યક્તિ એક જ રસોડે જમતા હતા. અને બધા પ્રેમથી અને શાંતિથી રહેતા હતા.
એક દિવસ ધનજીભાઈ ને સપનામાં લક્ષ્મીમાતા એ દર્શન આપ્યા. અને કહ્યું કે હવે અહીંયા રહીને મને મૂંઝારો થઈ રહ્યો છે. તમારી ત્રણ પેઢી થી હું અહીંયા રોકાઈ ગઈ છું. અને હવે મારે જવું છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
હવે તમારે ત્યાં દરિદ્રતા આવશે. તમારા વહેવાર અને વચન માં કોઈ ખોટ નથી. અને તમારી ત્રણ પેઢી માં કોઈ એ મારો દુરુપયોગ કર્યો નથી, એટલે તમને કહેવા આવી છું.
અને એક વરદાન માંગી લો. જેથી હું જતા જતા તમારી ઇરછા પુરી કરતી જાવ. ધનજીભાઈ ઘર ના વડીલ હતા. અને આખો પરિવાર તેનું ખુબજ માન રાખતા.
જેથી તેને લક્ષ્મીમાતા ને કહ્યું કે તમે જવાનું નક્કી કરી લીધું છે. તેમાં તો હું કશું નહિ કરી શકું. પણ મને તમારે જો વરદાન આપવું હોય તો, એટલું જ આપજો કે મારા પરિવાર માં બધા સાથે હળીમળી ને રહે છે. અને પ્રેમભાવ મન સન્માન ના જે સંસ્કાર છે તેમાં કોઈ ખોટ નો આવે.
એટલે લક્ષ્મીમાતા એ તથાસ્તુઃ કહી ને વિદાઈ લીધી. લક્ષ્મી માતા જતા જ ધંધા માં નુકસાની મોટી મોટી ઉઘરાણી ના રૂપિયા આવે નહિ. અને આવા અનેક પ્રશ્નો આવવા લાગ્યા. પણ જરા પણ વિચલિત થયા વગર આખો પરિવાર પ્રેમ અને શાંતિ થી તેનો ખરાબ સમય પસાર કરી રહ્યો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એક દિવસ રાત્રે ઘરે ગયા ધનજીભાઈ નો નિયમ હતો. તેના દરેક પુત્ર, પૌત્ર જમી લે પછી જ પોતે જમવા બેસે. બધાએ જમી લીધું પછી ધનજીભાઈ જમવા બેઠા. ખીચડી માં જરૂર થી વધારે મીઠું નંખાઈ ગયું હતું.
પહેલા તો ધનજીભાઈ ને એમ થયું કે વહુ ને જાણ કરું. પણ પછી પોતે વિચાર્યું કે મારા પુત્રો અને પૌત્રો એકપણ શબ્દ બોલ્યા વગર જો જમી લીધું હોય તો મારે આ ગઢપણ માં શા માટે કંકાસ કરવો જોઈએ? હવે બન્યું એવું કે રસોડા માં ત્રણ વહુ રસોઈ બનાવતી હતી. અને ભૂલ થી ત્રણેય વહુ એ ખીચડી માં મીઠું નાખી દીધું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પણ આખા ઘર માંથી કોઈ પણ બોલ્યા વગર બધાએ જમી લીધું. તે જ રાત્રે ધનજીભાઈ ને સપનામાં દરિદ્રતા આવી અને કહ્યું કે હું હવે જાવ છું. હવે આ ઘર માં હું મુંજાવ છું. અહીંયા હું રહી નહીં શકું.
ત્યારે ધનજીભાઈ એ કહ્યું કે હજુ તો આઠ દિવસ જ થયા છે. ત્યાં તમારે ક્યાં જવું છે? ત્યારે તેને કહ્યું કે તમારી ત્રણ વહુ નો મગજ ફેરવી નાખ્યો. અને ત્રણેયે ખીચડી માં મીઠું નાખ્યું. તમારા નુકશાની કામકાજ માં રુકાવટ કરાવી.
પણ તમે લોકો તો નથી અંદરો અંદર લડતા નથી કે ઝઘડતા નથી. તો હવે મારુ અહીંયા શું કામ છે. મારે તો જે ઘર માં કજિયા કંકાસ થતો હોય એકબીજા મારા મારી કરતા હોય. ઘર ના લોકો જ એકબીજા ના સારા કામ નો થવા દેતા હોય આવા લોકો હોય ત્યાં મને રહેવું ગમે.
તમારા જેવા પ્રેમાળ લોકો હોય અને સાથે સાથે કોઈ નો વાંક હોય તો પણ કોઈ ગુસ્સે થતા ના હોય ત્યાં મારુ કામ નહિ. ત્યાં મારુ મન પણ મૂંઝવણ અનુભવે. જેથી હવે હું જાવ છું. અને લક્ષ્મીમાતા આવતીકાલથી અહીંયા આવી જશે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.