એક અત્યંત ધનવાન વ્યક્તિ પાસે ખુબ પૈસો હોવા છતાં લોકો તેને માન સન્માન આપતા નહીં પરંતુ એક દિવસ થી બધા લોકો તેને માન સન્માન આપવા લાગ્યા, કારણ કે…

ભગવાનજી શેઠ નો આખા પંથક માં ડંકો વાગતો, આખા પંથક માં તેની જેટલી સંપત્તિ કોઈ પાસે નહોતી.અત્યંત ધનવાન હોવાથી શેઠજી ખુબ જ સાહેબી ભોગવતા. પુષ્કળ પ્રમાણમાં ધંધો ચાલતો, રાજા રજવાડા માં પણ શેઠ નું માન જળવાતું અને તેની પણ એક ખુરશી દરબાર માં પડતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

શેઠ જ્યારે પણ મંદિરે જાય, આમ તો શેઠજી દરરોજ સવારે મંદિરે જતા ત્યારે તેની સાથે બે મદદનીશ હોય અને સાથે સાથે મુનીમજી પણ હોય. શેઠજીના ત્યાં બધી જ વાતનું સુખ હતું પરંતુ તેઓનું કોઈ વારસદાર નહોતું. પરંતુ શેઠજી અને નક્કી કરેલું હતું કે જ્યારે પણ શેઠજી નું મૃત્યુ થાય ત્યારે તેની બધી સંપત્તિ ગ્રામજનોને જરૂરિયાત પ્રમાણે આપી દેવાની.

આવું તેને મુનિમને પણ કહી રાખ્યું હતું. શેઠજી મંદિરે જાય અને ભગવાનના દર્શન દરરોજ કરીને બહાર આવે, પરંતુ આ દરમિયાન તેની સામે કોઈપણ ગ્રામજનો નજર પણ ન મિલાવે અથવા રામરામ પણ ન કરે. આ બધું જોઇને શેઠજીને ઘણી અકળામણ થતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એક દિવસ તેનાથી રહેવાયું નહીં. એટલે મંદિરની બહાર આવીને એક વૃક્ષના છાયામાં બેસી ગયા અને મુનીમજી ને પણ ત્યાં બેસાડીને કહ્યું કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? મુનીમજી અત્યંત ચતુર વ્યક્તિ હતા. લગભગ દરેક સવાલના તેની પાસે જવાબ હતા.

તરત જ શેઠજીને જવાબ આપતા તેને કહ્યું કે હું તમને આનો જવાબ એક દાખલો આપીને આપવા માંગુ છું. એમ કહીને પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે આખી દુનિયામાં ગાય અને ભૂંડ તેમાંથી ગાયને ખૂબ જ માન સન્માન મળતું હતું અને લોકો તેને પ્રેમથી રાખતા હતા.

એ જ જગ્યાએ ભૂંડ ને બધા લોકો ધિક્કારતા, આવું જ હોય ને ભૂંડ ને ખૂબ જ ખરાબ લાગ્યું એટલે તેને ગાય પાસે જઈને કહ્યું કે તમને બધા લોકો એકદમ પ્રેમથી રાખે છે. અને ભગવાનની જેમ પૂછે છે જ્યારે મને તો કોઈ ના ઘર પાસે જાવ તો પણ બધા લોકો લાકડી મારીને ભગાડી મૂકે છે.

તું તો લોકોને ફક્ત દૂધ આપે છે જ્યારે હું તો મારું બધું આપી દઉં છું, માણસ મારા વાળ કે જેમાંથી બ્રશ બનાવે છે, તેમ છતાં લોકો મને ધુત્કારે છે. અને તને પ્રેમ થી રાખે છે. આવું કેમ?

ત્યારે ગાય વળતો જવાબ આપે છે કે હું જીવતી હોય ત્યારે આખી જિંદગી દરરોજ લોકોના કામ માં આવું છું. અને તું મર્યા પછી એક વખત જ કામ માં આવે છે.

બસ મુનીમ પાસેથી આટલું સાંભળીને શેઠ આખી વાત સમજી ગયા. તે દિવસથી જ શેઠ લોકોના કામ માં આવવા લાગ્યા, ગરીબ લોકોને જરૂરી બધી મદદ કરવા લાગ્યા. કોઈ ના ઘરે દીકરી ના લગ્ન હોય અથવા પછી કોઈ જરૂરિયાતવાળા લોકોને બીમારી માટે દવા કરાવવાની હોય શેઠજીની મદદ માંગે તે પહેલાં જ શેઠજી હાજર થઇ જતા. શેઠજી નું માન-સન્માન પણ પહેલા કરતા અનેકગણું વધી ચૂક્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આપણે સમાજ માંથી જે જોઈતું હોય તે સમાજ ને પહેલા આપવું પડે છે ખુશી જોઈતી હોય તો ખુશી પ્રેમ જોઈતો હોય તો પ્રેમ ટૂંકમાં આપણે જેની અપેક્ષા રાખતા હોય એ પહેલા આપવું પડે છે અને પછી આપણને અનેક ગણું પ્રાપ્ત થઇ છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team