દીકરીએ પિતાને કહ્યું કાલથી હું મંદિરે નહીં જાવ, પિતાએ કારણ પૂછ્યું તો દીકરી એવું કહ્યું કે પિતા...

જાનકી ની ઉંમર 19 વર્ષની થઇ ચૂકી હતી છેલ્લા ઘણા વર્ષોથી તે પિતા સાથે દરરોજ સવારે મંદિરે દર્શન કરવા જતી. પરંતુ હવે પિતા રીટાયર થઇ ચૂક્યા હોવાથી પિતા સવારે મંદિરે થોડા મોડા જતા હતા એટલા માટે જાનકી પોતે એકલી જ સવારે મંદિરે દર્શન કરવા માટે જતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જાનકીને સવારે મંદિર જઈને પછી જ કોલેજ જવાની ટેવ પડી ગઈ હતી એટલે પહેલા મંદિરે જાય ત્યાં દર્શન કરીને પછી કોલેજ જતી.

થોડા દિવસ સુધી તો તે એકલી જ મંદિરે જતી પરંતુ એક વખત તે મંદિરેથી કોલેજ જવાને બદલે સીધી ઘરે આવી અને તેના પિતાને કહ્યું કે પપ્પા હવે હું ક્યારેય મંદિરે નહીં જાઉં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેના પિતા આ વાત સાંભળીને થોડા આશ્ચર્ય ચકિત થઈ ગયા પરંતુ તેને દીકરી ને પૂછ્યું કેમ બેટા તારે મંદિરે નથી જવું? શું પ્રોબ્લેમ છે?

એટલે જાનકી એ તેના પિતાને કારણ જણાવતા કહ્યું પપ્પા હું જ્યારે પણ મંદિરે જાવ છું ત્યારે ભગવાનના દર્શન કરું છું પરંતુ સાથે સાથે હું જોઉં છું કે જ્યારે પણ ત્યાં જાઓ ત્યારે પૂજા અથવા ભજન ચાલુ હોય તો પણ લોકો પોતાના મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહે છે અને વાતો કરતા રહે છે. એ બધા મને ભક્તો ઓછા લાગે છે અને ઢોંગી વધારે લાગે છે.

પિતા થોડું હસવા લાગ્યા પછી તેને કહ્યું બેટા તારી વાત સાચી હોઇ શકે છે પરંતુ મારે તને એક વાત કહેવી છે. ભલે તારા મંદિરે ન જવું હોય તો તારી મરજી પરંતુ શું તું મારું એક કામ કરીશ?

જાનકી એ તરત જ કહ્યું હા બોલોને શું કામ કરું?

જાનકીના પિતાએ તેને કહ્યું એક ગ્લાસ નવો ચોખ્ખો લઈ લે, તરત જ જાનકી રસોડામાંથી ગ્લાસ લઈને આવી. તેના પિતાએ તેને કહ્યું હવે આ ગ્લાસમાં દૂધ ભરી દે.

જાનકી એ આખા ગ્લાસમાં દૂધ ભર્યું. પછી તેને તેના પિતાએ કહ્યું હવે આ દૂધ ભરેલો ગ્લાસ લઈને તું ફરી પાછી મંદિરે જા અને આખા મંદિરની એક પરિક્રમા કરી આવ, પરંતુ જ્યારે તું પરિક્રમા કરી રહી હોય ત્યારે ખાસ ધ્યાન રાખજે કે આ દૂધ ભરેલા ગ્લાસમાં થી એક ટીપું દૂધ પણ બહાર ન ઢોળાઈ જાય.

દીકરીને પિતાની આ ચેલેન્જ તો ખૂબ જ સહેલી લાગી એટલે તે તરત જ રાજી થઈ ગઈ અને કહ્યું ચલો હું અત્યારે જ મંદિરે જાવ છું.

દીકરી મંદિરે ગઈ અને પિતાએ કહ્યા પ્રમાણે એક પરિક્રમા પૂરી કરીને ફરી પાછી ઘરે આવી.

તે ઘરે આવી કે પિતા જાણે તેની રાહ જોતા હોય એ રીતે ઘરની બહાર જ ઉભા હતા. જાનકી આવી એટલે ઘરમાં જઈને પિતાએ દૂધનો ગ્લાસ જોયો બધું દૂધ તે ગ્લાસમાં એમનેમ જ ભર્યું હતું.

તેને દીકરી ને પૂછ્યું દૂધ ઢોળાયું તો નથી ને એટલે દીકરી એ જવાબ આપતા કહ્યું ના પપ્પા જરા પણ નથી ઢોળાયું.

હવે તેના પિતા એ જાનકી ને એક પછી એક એમ ત્રણ સવાલ પૂછ્યા... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પહેલો સવાલ તેણે પૂછ્યો શું તે કોઈને ફોન પર વ્યસ્ત જોયા?

બીજો સવાલ તેણે પૂછ્યું શું તને કોઈ વાતો કરતા દેખાયું?

અને ત્રીજો સવાલ પૂછ્યો શું તે કોઈને એકબીજાની બુરાઈ કરતાં જોયા?

આ ત્રણેય સવાલ સાંભળીને જાનકી એ તેના પિતાને જવાબ આપતા કહ્યું પપ્પા મને કોઈ કેવી રીતે દેખાય? મારુ તો સંપૂર્ણપણે ધ્યાન આ ગ્લાસ પર હતું કારણકે તમે કહ્યા મુજબ દૂધનું એક પણ ટીપું છલકે નહીં.

પિતા ફરી પાછું થોડું હસ્યા બસ હું તને આ જ સમજાવવા માગું છું. એમ કહીને પોતાની વાત આગળ વધારતાં કહ્યું જ્યારે પણ તું મંદિર જાય છે ત્યારે તારે ત્યાં પણ આવું જ કરવું જોઈએ, જ્યારે પણ મંદિર જઈએ ત્યારે આપણું ધ્યાન માત્ર ભગવાન પ્રત્યે જ રાખવું જોઈએ અને ભગવાન સાથે વાર્તાલાપ કરવાનો અથવા તેની સાથે જોડાઈ જવાનો આ જ રસ્તો છે.

જાનકી તરત જ બધું સમજી ગઈ અને પિતાને કહ્યું હું કાલથી દરરોજ મંદિર જઈશ પરંતુ તમે શીખવ્યું એ પ્રમાણે... બીજામાં જરા પણ ધ્યાન નહીં દઉં... એમ કહીને જાનકી અને તેના પિતા બંને હસવા લાગ્યા.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૫ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team