ધંધામાં નુકશાની આવતા એક માણસ મંદિરમાં જઈને પ્રાર્થના કરી રહ્યો હતો, થોડા દિવસ પછી જે થયું તે જાણીને તમે પણ...
દિનેશ પોતાના ગામ ની બહાર જંગલ માં આવેલા મહાદેવજી ના મંદિરે ત્રણ દિવસ થી કશું ખાધા વિના જ ભગવાન ની સામે બેસી રહ્યો હતો. તેને પોતાના ધંધા માં મોટી નુકશાની આવી હતી. જેનાથી હિંમત હારી ને તે મહાદેવજી ના મંદિરે બેસી અને ભગવાન ને રડતા રડતા પ્રાર્થના કરી રહ્યો હતો.
અને ભગવાન ને કહી રહ્યો હતો કે મારા પાસે કશું જ છે નહિ, અને મારી પાસે જીવવાનું કોઈ કારણ બચ્યું નથી, બધું ખતમ થઇ ગયું છે. હું મારા દીકરા ને અને પત્ની ને તેના પિયર મૂકી આવ્યો છું. મને કંઈક કામ ધંધો કરી શકું એવા આશીર્વાદ આપો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
નુકશાની માં તેને મકાન દુકાન સાથે બધી મિલકત વેચી નાખવી પડી હતી. અને અત્યારે તેની પાસે કશુંજ બચ્યું નહોતું. અને તે પ્રાર્થના કરતા કરતા મહાદેવજી સામે રડી રહ્યો હતો. ત્રીજા દિવસે સાક્ષાત મહાદેવજી તેની સમક્ષ આવ્યા.
અને કહ્યું કે આ મંદિર ની આજુબાજુ ની જગ્યા માં તને ઘાસ અને વાંસ ના ઝાડ દેખાઈ છે, તે બંને ના બીજ મેં એક સાથે જ વાવ્યા હતા, બંને ને એક સરખું પાણી અને તડકો આપ્યા છે. પરંતુ ઘાસ ઝડપ થી ઉગવા લાગ્યું. અને બધી જમીન માં હરિયાળી છવાઈ ગઈ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પરંતુ વાંસ નું બીજ મોટું ઉગી ને જમીન ની બહાર આવ્યું નહિ, બીજા વર્ષે ઘાસ તેના સમયે ઉગી નીકળ્યું. પણ વાંસ નું બીજ અંકુરિત થયું નહિ. ત્યારે પણ બંને ને એકસરખું પાણી અને તડકો આપ્યો હતો.
આમ ને આમ પાંચ વર્ષ સુધી વાંસ નું બીજ અંકુરિત થયું નહિ પરંતુ પાંચ વર્ષ ના અંતે વાંસ નું બીજ માંથી એક નાનો છોડ અંકુરિત થયો, અને છ મહિના માં તો નાનો છોડ લગભગ સાઈઠ સીતેર ફૂટ ની ઉંચાઈ એ પહોંચી ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને એ પાંચ વર્ષ નો સમય એટલે માટે લાગ્યો કે તેને આટલી બધી ઉંચાઈ સુધી જવા માટે તેના મૂળ જમીન ની નીચે મજબૂત રાખવા પડે. અને તે પાંચ વર્ષ સુધી તેને પહેલા તેના મૂળ મજબૂત કર્યા, અને પછી ધરતી માંથી બહાર આવી અને છ મહિના માં આટલી ઉંચાઈ પ્રાપ્ત કરી એ પાંચ વર્ષ નો સમય તેનો સંઘર્ષ નો સમય હતો.
અને જયારે પણ જીવન માં સંઘર્ષ કરવાનો સમય આવે ત્યારે સમજવું કે આપણે આપણા મૂળ હજુ મજબૂત થઇ રહ્યા છે, તમારો સંઘર્ષ નો સમય જ તમને મજબૂત માણસ બનાવી શકે. અને તેનાથી જ તમે આવતા સમય ને સૌથી સારો બનાવી શકો.
આપણી કોઈ બીજા ની સાથે તુલના કર્યા વિના જ જીવન માં આવેલા સંઘર્ષ નો સામનો કરો જીવન માં આવેલ સંઘર્ષ થી ગભરાયા વિના સામનો કરો, અને આપણા જીવન ના મૂળ ને મજબૂત કરો. થોડો સમય લાગે પણ સફળતા પણ આપણી રાહ જોઈ રહી હોય છે.
આટલું બોલતા દિનેશ ની સામે થી મહાદેવજી અદ્રશ્ય થઇ ગયા, પરંતુ દિનેશ માં જે હિંમત આવી તેના કારણે ખુબજ મહેનત અને ઈમાનદારી થી ફરી ને પોતાનું સામ્રાજ્ય થોડા વર્ષ માં જ જમાવી દીધું.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.