દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થયો, થોડા જ સમય પછી એવું બન્યું કે…

એક પરિવાર રહેતો હતો. પરિવારમાં બે ભાઇ, બંને ભાઈ ની વહુ માતા-પિતા અને બાળકો હળી મળીને રહેતા હતા. ઘણી વખત નાની મોટી વાત પર દેરાણી અને જેઠાણી માં તકરાર થઈ જતી. પરંતુ અંતે બધા હળી-મળીને સુખેથી રહેતા હતા.

એક દિવસની વાત છે દેરાણી અને જેઠાણી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. એકબીજા વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ, એ જ સમયે તે બંનેના સાસુ પણ બહાર હોવાથી આ બોલાચાલી થોડા સમય સુધી એમનેમ ચાલતી રહી.

જોતજોતામાં સામાન્ય દેખાતો ઝગડો મોટો થઈ ગયો અને ખૂબ જ નાની એવી વાતમાં બન્ને ઝઘડો તો કર્યો પરંતુ બંને એ એકબીજાનું મોઢું પણ હવે નહિ જોવું તેવા સમ ખાઈ લીધા. અને બંને દેરાણી અને જેઠાણી પોતપોતાના રૂમમાં જઈ રૂમનો દરવાજો બંધ કરી દીધો.

ઘરમાં રસોઈ બનાવવાની બાકી હતી, થોડા જ સમયમાં બધાનો જમવાનો પણ સમય થવાનો હતો. પરંતુ દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હોવાથી બન્ને પોતપોતાના રૂમમાં હતા. બંને બસ મનમાં એ જ વિચાર કરી રહ્યા હતા કે વાંક કોનો હતો?

એ બંને વિચારમાં એવા મશગુલ હતા કે રસોઈનો સમય થઈ ગયો પરંતુ દેરાણી અને જેઠાણીએ કોઈએ પણ રસોઈ નહોતી બનાવી. એવામાં અચાનક જ દેરાણી જે રૂમમાં હતી તે દરવાજો કોઈએ ખખડાવ્યો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel