બોસને કહ્યું મારે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે ચાર દિવસની રજા જોઈએ છે. તો બોસ હસવા લાગ્યા અને એવું કહ્યું કે...
સુરેશ મલ્ટિનેશનલ કંપની માં સર્વિસ કરતો હતો. સારી પોસ્ટ પર હોવાથી કંપની તરફ થી ગાડી-બંગલા વગેરે જેવી અનેક વૈભવી સગવડતા મળતી હતી. અને પગાર પણ પાંચ આંકડા માં હતો. આજે સુરેશ તેના બોસ ની ચેમ્બર માં આવ્યો.
તેના બોસ એ તેને પૂછ્યું આવ સુરેશ, બોલ શું કામ છે? ત્યારે સુરેશે તેને કહ્યું કે સર મારે આવતા અઠવાડિયા માં ચાર દિવસ ની રજા જોઈએ છે. ત્યારે બોસ ને તેની રજૂઆત થી નવાઈ લાગી, કારણ કે આશરે અઢી વર્ષ ની નોકરી માં સુરેશે એક પણ રજા પાડી નહોતી.
બોસે બે મિનિટ વિચારી ને કહ્યું કે શું કારણ છે? ત્યારે સુરેશે કહ્યું કે મારા પિતાજી નું શ્રાદ્ધ છે. એટલા માટે મારે મારા ગામડે જઈને પરિવાર સાથે શ્રાદ્ધ ની વિધિ કરવાની છે. પરિવારના કેટલાક સભ્યો બહાર ગામ રહે છે, તે બધા અમારા ગામમાં આવી જશે. અને બધા ની હાજરી માં શ્રાદ્ધ ની વિધિ થશે.
ત્યારે બોસે થોડા મંદ હાસ્ય સાથે સુરેશ ને કહ્યું કે આવડી મોટી કંપની માં નોકરી કરે છે, અને આવી જુનવાણી વિચાર રાખે છે? આવું બધું તો અભણ માણસો કરે, આપણે તો ભણેલા ગણેલા છીએ. આપણે આ માથાકૂટમાં નો પડાય.
મને ખબર છે તે તારા પિતાજી ની ખુબ સેવા કરી છે અને માતાની સેવા માટે હજુ સુધી પત્ની અને બાળકો ગામડે જ રહે છે. તને આ બધું કરવાનો ફાયદો શું? તું અહીંયા એકલો રહે. તારા પત્ની અને બાળકો ગામ માં એકલા રહે…
સુરેશે જવાબ આપતા કહ્યું કે કોઈ પણ પુત્ર નું જીવન એ તેના પિતા એ આપેલી ભેટ છે, અને એમાં ફાયદો કે નુકશાન થોડું જોવાનું હોય? એ તો મારી ફરજ છે. મારા પિતા માટેની, અને મારો આત્મસંતોષ છે કે હું પિતાજી ના આત્માની શાંતિ માટે કંઈક કરું છું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બોસે કહ્યું કે તું જે તારા પિતાજી માટે જે કરી રહ્યો છે તે તમારા બાળકો તમારા માટે કરશે? ત્યારે સુરેશે સહજતાથી જવાબ આપતા કહ્યું કે તે તેની ઉપર છે. તે મારી પાછળ કઈ કરશે કે નહિ, પણ એક વાત જરૂર થી કહીશ. કે મને મારા પુત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે તે આ બધું કરશે.
કારણ કે હું મારા પિતાજી ની પાછળ કરું તો તે પણ નજરે જોવે છે. અને માની લ્યો કે તે કંઈ જ ના કરે તો પણ શું ફેર પડે? હું તો મારી શ્રદ્ધા થી આ કાર્ય કરી રહ્યો છું. અને શ્રદ્ધા થી કરેલા કાર્ય ને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે.
સુરેશે પોતાની વાત આગળ વધારતાં કહ્યું અને સર હવે તમને એક વાત કહી દઉં જ્યારે મારે નોકરી ની જરૂર હતી. ત્યારે હું નોકરી માટે આમતેમ ખુબ દોડાદોડી કરી રહ્યો હતો. અને ખુબ જ ચિંતા માં હતો, ત્યારે મારા પિતાજી એ મને સપનામાં આવીને કહ્યું હતું કે પંદર દિવસ માં તારી નોકરી સારી જગ્યા એ લાગી જશે.
અને પછી આપની કંપની માં મને નોકરી મળી. હવે તમે કહો કે મારા પિતાજીનું શ્રાદ્ધ કરવું એ જુનવાણી વિચાર છે? અને આ બધું કરવાવાળા ને તમે અભણ માનશો? તેના બોસ પાસે સુરેશ ની આ વાતનો કોઈ જવાબ નહોતો, માત્ર તેઓ આ બધું સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. સુરેશ ની રજા મંજુર કરી દેવામાં આવી.
સુરેશ તેના બોસની કેબિનમાં થી બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને ફરી પાછું કહ્યું કે સર મને પિતા હંમેશા એક વાત કહેતા હતા, એ કહેતા કે જે ઝાડ તેના મૂળ થી જોડાયેલું રહે છે તે ક્યારેય પણ નબળું પડતું નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.