ભિખારીએ બે વખત પાણી માગ્યું, જેવું ત્રીજી વખત માંગ્યું કે દુકાનદાર ગુસ્સે થઈ ગયો અને ભિખારીને કહ્યું…

એક મિનિટ બે મિનિટ એમ ધીમે ધીમે સમય વીતતો ગયો, તે વારંવાર શેઠ ની સામે જોઈ રહ્યો હતો પરંતુ શેઠ તો હિસાબ કરવામાં જાણે મગ્ન થઈ ગયા હતા.

અંદાજે 15 મિનિટ જેટલો સમય વીતી ગયો પરંતુ ત્યાં માણસ આવ્યો નહીં એટલે પેલા ભિખારીને ફરીથી શેઠને કહ્યું કે શેઠ થોડું પાણી આપો ને મને ગળુ સુકાઈ રહ્યું છે.

શેઠે ફરી પાછો તોછડાઈથી જવાબ આપતા કહી દીધું કે હજુ માણસ નથી આવ્યો, માણસ આવશે એટલે તને પાણી મળી જશે.

ભિખારી ફરી પાછો ત્યાં ઊભો રહી ગયો, પાંચ મિનિટ જેટલો સમય ફરી પાછો પસાર થયો માણસ આવ્યો નહીં એટલે ભિખારી એ તરત જ પેલા શેઠને કહ્યું કે શેઠ મારે માત્ર એક જ ગ્લાસ પાણી પીવું છે, આ તરસને કારણે જીવ જતો હોય તેવું લાગે છે.

શેઠ હવે ગુસ્સે થઈ ગયા અને ગુસ્સે થઈને કહ્યું અરે તને ખબર નથી પડતી, મે કેટલી વાર તને કહ્યું કે માણસ નથી માણસ આવે એટલે તને પાણી આપી દેશે.

ભિખારીએ શેઠ ને જવાબ આપતા કહ્યું કે સાહેબ, તમે જ થોડી વાર માણસ બની જાવ ને.

ભિખારીના આ શબ્દો સાંભળીને શેઠ શું જવાબ આપે, તેની પાસે જવાબ આપવા માટે શબ્દો બચ્યા નહોતા.

આ સ્ટોરી માં થી ઘણું શીખવા મળે છે કે ઘણી વખત જાણતા કે અજાણતા આપણાથી પણ એવું વર્તન થઇ જતું હોય છે.

આપણે બધા અધિકારીઓ, એન્જિનિયર, ડોક્ટર, વકીલ, ખેડૂત, બિઝનેસમેન, સેલ્સમેન તો દરરોજ હોઈએ છીએ. પરંતુ ધ્યાન રાખવું કે આપણા હોદ્દા માં એટલા ના જોડાઈ જઈએ કે ક્યારેક માણસ બનવાનું જ રહી જાય.

જો તમને સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ સ્ટોરી અને કોમેન્ટમાં રેટિંગ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel