ભગવાને ગરીબ માણસના સપનામાં આવીને કહ્યું “કાલે સવારે હું દર્શન આપવા તારી દુકાને આવીશ.” માણસ બીજા દિવસે દુકાને ગયો તો બપોર સુધી કોઈ ન આવ્યું, બપોરે અચાનક જ બહાર નીકળી ને જોયું તો સામે…

એક ખૂબ જ ઈમાનદાર દુકાનદાર હતો. દરરોજ સવારે નવ વાગ્યે તેની દુકાન પર આવી જતો અને તે દુકાને આવીને દરરોજ ઇમાનદારીથી ધંધો કરતો ધંધામાં કોઈપણ દિવસ છેતરપિંડી કરી નહોતી. અને તે માણસનું સ્પષ્ટપણે એવું માનવું હતું કે ભલે તે છેતરપિંડી કરી શકે અને ગ્રાહકને ખબર ન પડે પરંતુ ઉપર બેઠા બેઠા ભગવાન બધું જુએ છે એટલે જ તે માણસ એકદમ ઈમાનદારીથી તેનું કામ કરતો અને મજૂરીના પૈસા જે થતા હોય એટલા જ લેતો અને કોઈ પણ ગ્રાહક સાથે છેતરપિંડી કરતો નહીં.

તેને માટીના વાસણ બનાવવાનું કામ હતું અને સવારથી રાત સુધી તે અત્યંત મહેનત કરીને વાસણ બનાવતો અને તેમાંથી જ તેના ઘરનું ગુજરાન ચાલતું. એની આવક તેના જરૂરિયાત પૂરતી જ હતી. પરંતુ સીમિત આવકમાં પણ તેમાં પરિવાર અત્યંત ખુશ ખુશાલ રહેતો હતો. અને બધા લોકો પરિવારમાં સુખેથી જીવન વ્યતિત કરતા હતા.

એક દિવસની વાત છે જ્યારે રોજિંદા જીવન પ્રમાણે સાંજે દુકાનેથી ઘરે આવીને ભોજન લીધું ત્યાર પછી સુઈ ગયા. અચાનક તેને સપનામાં ભગવાનના દર્શન થયા અને ભગવાને તેને કહ્યું કે આવતીકાલે સવારે ભગવાન તેને મળવા માટે તેની દુકાન ઉપર આવશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને બસ આટલું સપનું જોયું ત્યાં તેની આંખ ખૂલી ગઈ તરત જ સવારે જાગીને તેને દરરોજની જેમ રોજિંદા કાર્યો પતાવીને બીજી બધી તૈયારીઓ શરૂ કરી કારણકે આજે ભગવાન તેમને મળવા આવવાના હતા. ભગવાનને ધરાવવા માટે નાસ્તો, ચા અને જમવા માટે ભોજન તેમજ મીઠાઇ વગેરે લઈ આવ્યો. પછી દુકાને ગયો, દુકાને જઇને દરરોજ કરતાં પણ વધારે સારી રીતે દુકાને ચોખ્ખી કરી અને ભગવાન ની રાહ જોવા લાગ્યો.

પરંતુ સાથે સાથે તેનું કામ પણ ચાલુ કરી દીધું એમ વિચારીને કે ભગવાન જ્યારે પણ આવે ત્યારે હું ઊભો થઈ જઈશ. થોડા સમયમાં વરસાદ આવવા લાગ્યો. થોડા સમય થાય કે તે માણસ બહાર નીકળીને નજર કરતો કે ભગવાન તો નથી આવ્યા ને, પરંતુ દુકાન ની આસપાસ કોઈ નજર આવતું નહીં ફરી પાછો દુકાનમાં આવીને કામે બેસી જતો.

થોડા સમય પછી ફરી પાછું બહાર નજર કરી તો તેની નજર એક જગ્યાએ પડી જ્યાં એક ખુબ જ મોટા ઉંમરના મહિલા સામે ઉભા હતા અને વરસાદમાં પલળીને તે ખૂબ જ ભીના થઇ ગયા હતા, તેની પાસે છત્રી જેવું કંઈ નહોતું અને વરસાદમાં પલળીને તે મહિલા ને ઠંડી લાગી રહી હતી. એટલે તે દુકાનદારને તેની ઉપર ખૂબ જ દયા આવી ગઈ અને જે ચા દુકાનદાર ભગવાન માટે લઈ આવ્યો હતો એ જ ચા ને લઈને તે વૃદ્ધ મહિલા પાસે ગયો અને તેને ચા પીવડાવી. તે વૃદ્ધ મહિલા ધ્રૂજી રહ્યા હતા એટલે તેને તેની ઉપર દયા આવી ગઈ અને તેની ચા પિવડાવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ધીમે ધીમે સમય વીતવા લાગ્યો, ફરી પાછો દુકાનદાર કામે બેસી ગયો. જોતજોતામાં બપોરનો સમય થઈ ગયો. તેનો જમવાનો સમય પણ થઇ ગયો હતો અને ભગવાન માટે લઇ આવેલું ભોજન લઈને ઘરે જઈ રહ્યો હતો એવામાં તેને સામે એક સ્ત્રી મળી જેની પાસે એક બાળક હતું તે સ્ત્રી એ દુકાનદારને કહ્યું સાહેબ મને કંઈક ખાવાનું આપો મારા બાળકને ભૂખ લાગી છે, એટલે તે દુકાનદારે ભગવાન માટે લઈ આવેલું ભોજન તે સ્ત્રીને આપી દીધું અને પોતે પણ ઘરે જઈને જમીને ફરી પાછો દુકાને આવ્યો.

હજુ પણ તે ભગવાનની રાહ જોઈને બેસતો થોડું કામ કરતો ફરી પાછો બહાર નીકળીને ભગવાન આવ્યા નથી ને એ જોઈ આવતો. આવું ઘણી વખત થયું સાંજનો સમય થયા પછી ફરી પાછો તે બહાર આવ્યો કે ભગવાન તો નથી આવ્યા ને ત્યાં સામે એક માણસ ઉભા હતા. દુકાનદાર ને જોઈને દુકાન પાસે આવ્યા અને કહ્યું ભાઈ મને ખૂબ જ ભૂખ લાગી છે મને કંઈક ખાવાનું આપો ને…

દુકાનદાર વિચારમાં પડી ગયો કે હવે શું કરવું ભગવાન નહોતા આવ્યા એટલે તેની ચા પણ બીજાને આપી દીધી તેનું ભોજન પણ બીજાને આપી દીધું હવે માત્ર મીઠાઈ બચી હતી, આ માણસ પણ અહીં માંગવા માટે આવ્યા છે અને તેની ઉંમર પણ મોટી છે એટલે લાચાર થઈને તે દુકાનદારે ભગવાન માટે લઈ આવેલી મીઠાઈ તે માણસ ને આપી દીધી. વૃદ્ધ માણસ ત્યાંથી જતા રહ્યા અને ફરી પાછો દુકાનદાર વિચારવા લાગ્યો કે હજુ સુધી ભગવાન ના આવ્યા. એવું વિચારીને ફરી પાછો કામે લાગી ગયો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ધીમે ધીમે રાત પડી ગઈ અને દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો તેમ છતાં પણ ભગવાન નહોતા આવ્યા એટલે દુકાનદાર ફરી એક વખત બહાર નીકળીને કોઈ આવ્યું નથી એ જોવા લાગ્યો પછી દુકાન બંધ કરી અને કહ્યું વાહ રે ભગવાન વાહ તમે પણ મારા જેવા ગરીબની મજાક ઉડાવી લીધી, સવારે આવવાના હતા હું ત્યારથી તમારી રાહ જોઈ રહ્યો હતો પરંતુ તમે રાત સુધી ન આવ્યા. હે ભગવાન આ તમારી કેવી પરીક્ષા છે?

એટલામાં જ ત્યાં આકાશવાણી થઇ અને ભગવાને સાક્ષાત તે માણસને દર્શન આપ્યા અને કહ્યું હું તારી સામે આજે સવારે નહીં પરંતુ ૩ વખત આવ્યો સવાર બપોર અને સાંજે પણ આવ્યો, અને ત્રણેય વખત તારી પરીક્ષા કરી. અને ખરેખર તારી સેવાઓથી હું ખૂબ જ ખુશ થયો છું. તારા મનમાં જે દયાળુ અને પરોપકારી ભાવ રહેલો છે તેનાથી હું ખુશ થયો છું. આટલું કહીને ક્ષણવારમાં ભગવાન ગાયક થઈ ગયા.

ભલે કદાચ આ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ સ્ટોરી માંથી એટલું તો સમજી જ શકાય છે કે માણસ એ જ માણસની મદદ કરવા લાગે તો સાચા અર્થમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું થઈ શકે. તમારી આજુબાજુમાં રહેલા લાચાર લોકોમાં પણ જોવા વાળા ભગવાન જોઈ શકે છે. અને તેની સેવા પણ કરે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team