ભગવાને ગામના બધા લોકોને દર્શન આપશે એવું કહ્યું એટલે બીજા દિવસે રાજા સહિત બધા લોકો ત્યાં ગયા, ત્યાં જઈને રાજાએ જોયું તો...

એક ન્યાયપ્રિય તથા પ્રજાવત્સલ અને ધાર્મિક સ્વભાવ ના રાજા હતા. તે દરરોજ ભગવાન ના પૂજા પાઠ કરતા હતા ત્યારે એક દિવસે ભગવાને તેના પર પ્રસન્ન થઇ ને દર્શન આપ્યા અને કહ્યું કે હે રાજા હું તારાથી ખૂબ જ ખુશ છું તમારી કોઈ ઈચ્છા હોય તો જણાવો.

ત્યારે પોતાની પ્રજા ને પ્રેમ કરવા વાળા રાજા એ કહ્યું કે હે ભગવાન આપે આપેલું મારી પાસે બધું સુખ છે અને મારી પ્રજા ને પણ સુખ શાંતિ છે પરંતુ મારી પણ એક ઇરછા છે કે આપે મને જેમ દર્શન આપ્યા તેમજ મારી પ્રજા ને પણ દર્શન આપો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે ભગવાને કહ્યું કે રાજા એ તો શક્ય નથી એમ કહી ને રાજા ને સમજાવ્યા પરંતુ રાજા ભગવાન ની સામે જીદ કરવા લાગ્યા અને અંતે રાજા ની જીદ ની સામે ભગવાન ને હા પાડવી પડી અને રાજા ને કહ્યું કે આવતી કાલે સવારે ગામ ની બહાર આવેલા પહાડ પર હું તમારી પ્રજા ને દર્શન આપશે.

અને તમે તમારી બધી પ્રજા ને લઇ ને પહાડ પાસે આવી જશો. રાજા એ તો આખા નગર માં ઢંઢેરો પિટાવી અને જાહેર કર્યું કે આવતી કાલે સવારે બધા નગરજનો ને ગામની બહાર પહાડ ઉપર ભગવાન બધા ને દર્શન આપવાના છે. અને બીજા દિવસે સવારે રાજા બધા નગરજનો ને સાથે લઇ ને ગામ ની બહાર આવેલા પહાડ ની દિશા માં ચાલવા લાગ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બધા ચાલી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક જગ્યાએ તાંબાના સિક્કા નો પહાડ દેખાયો. ત્યારે પ્રજા માંથી ઘણા લોકો સિક્કા લેવા માટે ચાલ્યા ગયા. ત્યારે રાજા એ તેમને સમજાવ્યા કે તમે અત્યારે ભગવાનને મળવા માટે જઇ રહ્યા છો અને આ તાંબા ના સિક્કા નું શું કામ છે ???

તાંબા ના સિક્કા માટે થઇ ને તમે તમારા ભાગ્યમાં ભગવાન ના દર્શન કરવાનો મોકો મળે છે તે ગુમાવી રહ્યા છો.

પરંતુ લોભ અને લાલચ ના કારણે અમુક લોકો તાંબાના સિક્કા ના ઢગલા માંથી પોતાના થી લઇ શકાય એટલા સિક્કા ના પોટલાં બાંધીને ઘરે ચાલ્યા ગયા એવું વિચારી ને કે પહેલા સિક્કા લઇ લો ભગવાન ના દર્શન તો પછી પણ કરી શકીશું.

રાજા દુઃખી થયા પણ આગળ ચાલતા થયા થોડે દૂર સુધી ચાલતા ચાંદી ના ચમકતા સિક્કા નો પહાડ આવ્યો. અને આ વખતે પણ સાથે ચાલી રહેલા પ્રજા ના માણસો માંથી ઘણા માણસો ચાંદી ના સિક્કા ના પહાડ તરફ ભાગ્યા અને ચાંદી ના સિક્કા ના પોટલાં લઇ ને પોત પોતાના ઘર તરફ ચાલ્યા ગયા.

અને તે લોકો વિચારી રહ્યા હતા કે આવો મોકો ફરી ને ક્યારેય મળશે નહિ, ભગવાન ના દર્શન તો પછી ક્યારેક કરી લઈશું હવે રાજા ની સાથે થોડા લોકો જ બચ્યા હતા, અને આગળ જતા એક સોના ના સિક્કા નો પહાડ આવે છે અને રાજા ની સાથે રહેલા બધા લોકો સોના ના સિક્કા લેવા માટે ચાલ્યા જાય છે.

રાજાએ પાછળ ફરી જોયું તો તે એકલા જ હતા. તેમ છતાં તે ભગવાને કહેલા પહાડ પાસે જાય છે. ત્યારે ભગવાન રાજાની સામે હસતા હોય છે. અને રાજા ને કહે છે કે જે લોકો ના નસીબ માં મને મળવાનું ના હોય તમે તેને દર્શન કરવા માટે મારી સાથે જીદ કરી રહ્યા હતા. અને મેં હા પણ પાડી હતી પણ તેનું પરિણામ આપણી નજર સામે જ છે.

અહીંયા પણ મારી સામે તમે એકલા જ આવી શક્યા છો. મને મળવું તે બધા ના નસીબ માં નથી તેથી તે બધા લોકો ચાલ્યા ગયા, અને તમે ફરી ને ગામ માં જશો, ત્યારે તે બધા લોકો દુઃખી થતા હશે. કારણ કે તાંબા ના ચાંદી ના અને સોનાના સિક્કા તે બધા લોખંડ ના સિક્કા થઇ ગયા હશે.

કારણ કે આટલી સંપત્તિ પણ તે લોકો ના પ્રારબ્ધ અને પુરુષાર્થ માં નથી આટલું કહી અને ભગવાન અદ્રશ્ય થઇ ગયા.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team