આશ્રમમાં સેવા કરી રહેલા એક યુવકને સંતે પૂછ્યું તું માત્ર પૈસા માટે અહીં આવે છે? તો યુવકે આપ્યો એવો જવાબ કે સંત પણ…

મારી પાસે પૈસા ખૂબ જ છે પરંતુ મનમાં શાંતિ નથી, એવું લાગતું રહ્યું હતું કે હું દરરોજ આશ્રમ આવી અને નિત્યક્રમ નિભાવતો રહીશ પરંતુ એ પણ થઈ શક્યું નહીં. આજે તો નક્કી કરીનાખ્યું કે અહીં આવીને જ મને શાંતિ મળી શકે છે. સંપત્તિ ધન વગેરે બધું દેખાડો માત્ર છે.

પ્રભુએ મને બધું આપી દીધું પરંતુ મને અને મનની શાંતિ મળી શકતી નથી.

આટલું સાંભળીને સંત એ સહજ ભાવથી તેને કહ્યું કે પરંતુ તે ભગવાન પાસે મનની શાંતિ તો માંગી જ હતી નહીં. અને તુતો આશ્રમ ની સેવા પણ માત્ર સંપત્તિને પામવા માટે જ કરી રહ્યો હતો તો પછી ભગવાનને શું કામ દોષ આપી રહ્યો છે? તે જે માંગ્યું હતું એ તો તને મળી જ ગયું છે.

તો હવે આટલા વર્ષો પછી ફરી પાછો કેમ આશ્રમ ની સેવા કરવા આવી ગયો?

આશ્રમની સેવા કર એમાં મને કોઈ પણ જાતનો વાંધો નથી, હોઈ શકે કે તને મનની શાંતિ પણ મળી જાય. એ તો તને પહેલા પણ રોકી રહ્યો ન હતો અને હવે પણ રોકીશ નહીં.

જાણે પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય એ રીતે પેલા માણસે ઉદાસ થઈને સંત ના ચરણસ્પર્શ કરીને પ્રણામ કર્યા અને કહ્યું કે હવે કંઈ માંગવા માટે હું સેવા નહીં કરું બસ મને મનની શાંતિ મળી જાય તો બીજું કંઈ જ જોતું નથી.

સંતે કહ્યું કે પહેલા એ નક્કી કરી લે કે કંઈ જ માંગવા માટે આશ્રમની સેવા નહીં કર, અલબત્ત મનની શાંતિ થી વધારે કશું નથી હોતું જેથી કરીને નક્કી કરી લે કે હવે સેવા ના બદલામાં કશું માંગ્યું નથી.

પેલા માણસે બે હાથ જોડીને સંતને એટલું કહ્યું કે તમારી બધી વાત હું શબ્દશઃ સમજી ગયો છું. મારી આંખો ઉઘાડવા માટે તમારા ચરણોમાં ખૂબ ખૂબ પ્રણામ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો તમારા ગુજરાતી પરિવાર મિત્રો સાથે તેમજ દરેક ગ્રુપમાં અવશ્ય શેર કરજો. અને કોમેન્ટમાં સ્ટોરી કેવી લાગી તેનો પ્રતિભાવ પણ આપી શકો છો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel