આશ્રમમાં સેવા કરી રહેલા એક યુવકને સંતે પૂછ્યું તું માત્ર પૈસા માટે અહીં આવે છે? તો યુવકે આપ્યો એવો જવાબ કે સંત પણ…

એક અત્યંત ગરીબ યુવક હતો તેને જિંદગીમાં ખૂબ જ પૈસા કમાવવાના સપના હતા. તે એક સંત પાસે દરરોજ જતો હતો, અને આ તેનો નિયમિત પણે જાણે ક્રમ બની ચૂક્યો હતો.

દિવસમાં એક વખત તો અચૂક તે સંત પાસે આશ્રમમાં જ હતો અને ત્યાં આશ્રમની સાફ-સફાઈ કરતો અને સાફ-સફાઈ કરીને તે ફરી પાછો પોતાના કામ પર ચાલ્યો જતો.

તે નિત્ય ક્રમ પ્રમાણે સંત પાસે જતો અને ક્યારેક ક્યારેક તે સંતને રૂબરૂ મળો તો તો તેને પગે લાગીને આશીર્વાદ માંગતો અને સંત પાસે કહેતો કે તમે મને આશીર્વાદ આપો જેનાથી મારી પાસે ખૂબ બધા પૈસા અને સંપત્તિ આવી જાય, સંતને આવું વાક્ય સાંભળીને થોડી નવાઈ લાગી એટલે તને પૂછ્યું કે શું તું આ આશ્રમની સેવા કરી રહ્યો છે તે માત્ર આના માટે જ કરી રહ્યો છે?

યુવકે નિર્દોષભાવે હા કહી દીધી, ભલે તે માત્ર પોતાના સ્વપ્ન માટે ત્યાં સેવા કરી રહ્યો હતો પરંતુ તે જરા પણ ખોટું બોલ્યો નહિ અને ઇમાનદારીથી કહી દીધું કે મારો તો ઉદ્દેશ્ય જ એ છે કેમ મારી પાસે બહુ બધી સંપત્તિ આવી જાય.

અને આના માટે જ હું તમારી પાસે આવું છું, મારી પાસે ભાડાનું મકાન છે અને હું નાનો ધંધો કરીને ગુજરાન ચલાવું છું. ખબર નહી ક્યારે ભગવાન મારી પ્રાર્થનાને સાંભળશે?

સંત એ કહ્યું કે જરા પણ ચિંતા કરીશ નહિ, ભગવાન બધાને અવસર આપતો રહે છે. ફરી પાછું યુવકે નિરાશાજનક થઈને કહ્યું ખબર નહી ક્યારે સાંભળશે? એટલે સંત એ તેને કહ્યું કે જ્યારે તારી સામે અવસર આવશે તો પ્રભુ તને અવાજ કરીને જણાવશે નહીં, ચૂપચાપ તારા માટે આપોઆપ નવા રસ્તા ખુલતા જશે.

આટલું સાંભળ્યા પછી યુવક ત્યાંથી જતો રહ્યો અને નિત્ય ક્રમ અનુસાર પોતાના ધંધામાં તેમજ આશ્રમની મુલાકાત ચાલુ રાખી.

સમય વીતતો ગયો અને ધીમે ધીમે તેનો ધંધો વધતો ગયો સમય જાણે પલટો ખાઈ ગયો હોય તે રીતે પેલા યુવકને ખૂબ જ વધારે સંપત્તિ મળવા લાગી. એ એટલો બધો પોતાના ધંધામાં વ્યસ્ત રહેવા લાગ્યો કે તેણે આશ્રમમાં જવાનું જ છોડી દીધું.

તે તેના પરિવાર સાથે રહેતો સરસ મજાનો બંગલો પણ બનાવેલો હતો પરિવાર પણ હળી-મળીને રહેતો હતો પરંતુ કામ ખબર નહીં એક દિવસ અચાનક તે સવારે આશ્રમે પહોંચી ગયો અને ત્યાં જઇને કોઇને પણ કશું કહ્યા વગર ત્યાંનું કામ કરવા લાગ્યો.

એવામાં સંત ત્યાંથી નીકળી રહ્યા હતા તેને આ માણસને જોયો એટલે તે તરત જ ઓળખી ગયા, રૂમમાં સાફ સફાઇ કરી રહેલા આ માણસને સંતે બોલાવીને આશ્ચર્ય સાથે કહ્યું ઓહો શું વાત છે? આટલા વર્ષો પછી તું અહીં આવ્યો છે? એવું સાંભળવા મળ્યું હતું કે તું તો મોટો શેઠ બની ગયો છે.

તે માણસે જવાબમાં કહ્યું કે હા, મેં ખૂબ જ સંપત્તિ એકઠી કરી બાળકો ના લગ્ન પણ કર્યા. એ પણ બધા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા. જીવનમાં હવે પૈસાની કોઈ જ ખામી રહી નથી, ખૂબ જ નવા સંબંધો પણ બની ગયા છે પરંતુ ઘણી વખત એવું લાગે છે કે દરેક લોકો મારી સાથે માત્ર પૈસાને કારણે સંબંધ નિભાવી રહ્યા છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel