અઢળક પૈસો હોવા છતાં શેઠ કાયમ દુઃખી-દુઃખી રહેતા, એટલે શેઠના મિત્રે તેને એવી સલાહ આપી કે શેઠનું જીવન…

એક ખૂબ જ ધનવાન શેઠ હતા. વાત જ્યારે પૈસાની આવે તો શેઠ પાસે એટલો બધો પૈસો હતો કે તેને જીવનમાં પૈસાની કોઈ ખામી હતી નહીં. આ પૈસો તેને વારસામાં પણ મળ્યો હતો અને વારસા માંથી મળેલી સંપત્તિ માલમિલકતને તેઓએ પણ પોતાની મહેનતથી આગળ વધારી હતી.

શેઠ પાસે એટલી બધી સંપત્તિ હતી કે તેની કદાચ આવનારી ૭ પેઢીઓ પણ કંઈ કામ ન કરે તો પણ તેઓ ભૂખે ના મરે. અને શેઠ રહેતા હતા તે મકાન ને મકાન નહીં પરંતુ આલીશાન બંગલો કેવો પડે, ફિલ્મમાં બતાવનારા બંગલા પણ ઝાંખા પડે એવો બંગલો શેઠનો હતો.

તેના બંગલામાં ૩૦ જેટલાં તો નોકર કામ કરતા, શેઠ એક દિવસ તેના રૂમની બહાર નીકળીને હોલમાં લટાર મારી રહ્યા હતા. એવામાં તેઓને કોઈ ગીત ગાઇ રહ્યું હોય તેવો અવાજ સંભળાયો.

પહેલા તો શેઠ એ વાતને ઇગ્નોર કરી પરંતુ એ અવાજ ક્યારનો આવી રહ્યો હતો એટલે હવે જે બાજુથી અવાજ આવી રહ્યો હતો ત્યાં જઈને આજુબાજુ જોવા લાગ્યા, શેઠે જોયું તો તે અવાજ તેનો એક નોકર કરી રહ્યો હતો.

તે નોકર પોતાનું કામ પણ કરી રહ્યો હતો અને સાથે સાથે ગીત ગાઈ રહ્યો હતો, તેના મોઢા ઉપરથી તેના હાવભાવ સાફ દેખાઈ રહ્યા હતા. તે અંદરથી ખૂબ જ ખુશ હોય તેવું જણાઈ રહ્યું હતું.

આથી શેઠે તેનો કરને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કેમ ભાઈ આજે આટલો બધો ખુશ છે? એટલે ન કરે તેનો જવાબ આપતાં કહ્યું કે આ માત્ર આજ માટે નહીં હું તો હંમેશા માટે આવી રીતે ગીત ગાઈને જ કામ કરું છું. અને હું કાયમ ખુશ જ રહું છું.

શેઠ ને જવાબ સાંભળીને થોડું આશ્ચર્ય થયું. તું કેમ આટલો બધો ખુશ છો? ફરી પાછું શેઠે તેને પૂછ્યું એટલે તેને જવાબ આપ્યો કે માલિક તમે મને જે પગાર આપો એમાંથી હું મારા પરિવાર ની ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખી રહ્યો છું. અને અહીંથી ફરી પાછો ઘરે જાવ ત્યારે ઘરે જઈને મારા પત્ની સાથે મારા માતા-પિતા સાથે અને મારે બે બાળકો છે તેમની સાથે અવનવી વાતો કરતો રહું છું.

પેલા શેઠ આ સાંભળીને થોડું અચરજ પામ્યા કારણકે તેને મનોમન થવા લાગ્યું કે શેઠ ની પાસે તો આટલી બધી અઢળક માલમિલકત છે તેઓ પાસે અઢળક સંપત્તિ છે. પરંતુ જે રીતે એક નોકર ખુશ દેખાઈ રહ્યો હતો. તો એવી રીતે તે પોતે કેમ ખુશ રહી શકતા નથી? તે પોતે કાયમ દુઃખી કેમ હોય છે? આવા બધા સવાલો તેના મગજમાં સતત રહ્યા હતા.

આથી તેણે તેના એક મિત્રને ફોન કર્યો અને પછી કહ્યું મારે આવી સમસ્યા છે, આના ઉકેલ કઈ રીતે કાઢવો. તેનો મિત્ર ખૂબ જ અંગત મિત્ર હતો એટલે તેને કહ્યું હું તને કહુ એમ તું કરશે તો તારી આ સમસ્યા દૂર થઈ જશે અને તો ખુશ રહેવા લાગશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel