3 મિનિટ નો સમય કાઢી આ વાંચી લેજો, તમારો ભગવાન પરનો ભરોસો વધી જશે…

એક નાના ગામ માં એક સંત ફરતા ફરતા આવ્યા. અને ગામ ના પાદર માં આવેલ મંદિર માં તપ કરવા લાગ્યા. પરંતુ તેની તપ કરવા ની રીતભાત થોડી અલગ હતી, તે સંત એક લોઢાની સાંકળ થી પોતાને બાંધી ને મંદિર પાસે આવેલ કુવા માં ઊંધા લટકી ને તપ કરી રહ્યા હતા.

આ વાત ની ખબર પડતા ગામ ના લોકો અને આજુબાજુ ગામ ના લોકો મોટી સંખ્યા માં સંત ના દર્શન કરવા આવી રહ્યા હતા. તે સંત નું માનવું હતું કે આમ તપ કરવાથી ભગવાન બહુ જલ્દી થી તેના પર પ્રસન્ન થઇ જશે અને દર્શન આપશે અને પ્રસાદી માં કંઈક સિદ્ધિ આપશે.

સંત ની અલગ રીત જોઈ ને ગામલોકો, અને બીજા ગામ ના લોકો સંત થી અતિ પ્રભાવિત થયા. અને આખા પંથક માં સંત ના તપ કરવાની ચર્ચા થવા લાગી. ગામ ના એક યુવાને પણ સંત માંથી પ્રેરણા લઇ ને કુવા માં ઊંધા લટકી, અને તપ કરવા નું નક્કી કર્યું.

અને બીજા દિવસે તે એક દોરડા થી પોતાને બાંધી અને ઊંધા માથે કુવા માં લટકી ને તપ કરવાનું ચાલુ કરી દીધું, અને ભગવાન નું નામ લેવા નું શરુ કરી દીધું. તેના મન માં બિલકુલ નિર્દોષ ભાવ હતો, તેને ભગવાન પાસે થી કશું અપેક્ષા નહોતી, ફક્ત ભગવાન ના દર્શન કરવા ની ઇરછા હતી.

બે ત્રણ દિવસ પછી તે યુવાન નું દોરડું તૂટી ગયું, અને પોતે કુવા માં અંદર પડે તે પહેલા જ ભગવાને તેને પકડી લીધો, અને બહાર લાવી ને દર્શન આપ્યા. અને કહ્યું કે તારે જે જોઈતું હોય તે માંગ, પણ તે યુવાન ને તો ફક્ત ભગવાન ના દર્શન જ કરવા હતા.

જેથી તેને ભગવાન ને કહ્યું કે મારે કશું જોઈતું નથી બસ આપણા દર્શન થઇ ગયા એ મારા માટે બહુ છે. પરંતુ મારે આપને એક સવાલ કરવાનો છે કે એક સંત અમારા ગામ માં ઘણા સમય થી આ રીતે તપ કરે છે, તેને દર્શન આપવાના બદલામાં મને કેમ ત્રણ દિવસ માં દર્શન આપ્યા?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel