ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે અવસાન, પ્રધાનમંત્રી તેમજ બોલિવૂડ હસ્તીઓએ પ્રગટ કર્યો શોક

બોલિવૂડમાં ગઈકાલે જ હજુ ઈરફાન ખાનનું અવસાન થયું હતું જેથી આખું બોલિવૂડ શોકમાં છે એવામાં વધુ એક ખરાબ સમાચાર આવ્યા હતા. બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂર નું અવસાન આજે એટલે કે ૩૦ તારીખે મુંબઈમાં થયું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ઋષિ કપૂર ના અવસાન પછી બોલીવુડ સહિત ઘણા લોકોએ શોક સંવેદના પ્રગટ કરી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઋષિ કપૂરના અવસાન ઉપર શોક પ્રગટ કર્યો હતો. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું તે ઋષિ કપૂર જી બહુઆયામી, પ્રિય અને એકદમ જીવંત વ્યક્તિ હતા. તેઓ પ્રતિભાની જાણે ખાણ હતા. હું હંમેશા સોશિયલ મીડિયા પર પણ થયેલી વાતચીતને યાદ કરતો રહીશ. તેઓ ફિલ્મ અને ભારતની પ્રગતિ ના વિષયમાં ખૂબ જ ભાવુક હતા. તેમના અવસાનથી દુઃખી છું. તેઓના પરિવાર ને અને પ્રશંસકો ના પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.

જણાવી દઈએ કે સૌથી પહેલા અભિનેતા અમિતાભ બચ્ચન ટ્વીટ કરીને આ વાતની જાણકારી દીધી હતી કે અભિનેતા ઋષિ કપૂર નું અવસાન થયું છે. સોશિયલ મીડિયા પર અમિતાભના આ ટ્વીટ ના પબ્લિક થયા પછી તરત જ ચાહકો અને બોલિવૂડના સિતારાઓ એ શ્રદ્ધાંજલિ દેવાનું તેમજ શોક વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. અભિનેતા અમિતાભ બચ્ચને આજે સવારે એટલેકે ૩૦ તારીખે સવારે નવ વાગ્યે 32 મિનિટ ઉપર ટ્વીટ કર્યું હતું. અમિતા બેન પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે તેઓ ચાલ્યા ગયા... ઋષિ કપૂર તેઓ ચાલ્યા ગયા... તેઓનું અવસાન થઈ ચુક્યુ છે. હું તૂટી ગયો છું.

પરિવાર તરફથી પણ જાહેર કરવામાં આવેલ ચોક સંદેશામાં કહેવાયું હતું કે ઋષિ કપૂર બે વર્ષ સુધી બે અલગ અલગ મહાદ્વીપ માં ચાલી રહેલા તેના ઈલાજ દરમિયાન હંમેશા ખુશ રહ્યા છે અને જિંદગી જીવવાની ઈચ્છા તેને હંમેશા કાયમ રાખી. મિત્રો, પરિવાર, ખાવાનું ખવડાવવાનું, અને ફિલ્મો બસ આ જ બધું તેના હૃદયમાં વસતું હતું. અને આ દરમિયાન તેઓને જે લોકો પણ મળ્યા, તે લોકો જોઈને આશ્ચર્ય પામ્યા હતા કે કઈ રીતે તેઓએ કેન્સર જેવી બીમારી ને ક્યારેય પોતાના પર હાવી થવા દીધી હતી નહિ.

ગુરુવારે સવારે અવસાન થયા પછી જાહેર કરવામાં આવેલા સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે દુનિયા આ સમયે ખૂબ જ મુશ્કેલ અને પરેશાની વાળા સમયથી પસાર થઇ રહી છે. લોકોના આવવા-જવા પર અને એકઠા થવા પર બંદિશો છે. ઋષિ કપૂર ના ઘરના લોકો એવું ઇચ્છે છે કે લોકો આ સમયે લાગુ કરવામાં આવેલા કાનૂનનો સન્માન કરે અને તેઓની અંતિમયાત્રામાં ભીડ ન કરે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ઋષિ કપૂર કલાકાર ની દ્રષ્ટિએ ખૂબ જ ઉમદા કલાકાર હતા, તેઓએ ઘણી બધી ફિલ્મોમાં કામ પણ કર્યું છે અને મુખ્ય અભિનેતા તરીકે તેની પહેલી ફિલ્મ જોઈએ તો ૧૯૭૩માં આવેલી બોબી.ફિલ્મ તેની પહેલી એવી ફિલ્મ માટે જેમાં તેઓ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઘણી હિટ રહી હતી. આ ફિલ્મ પછી પણ તેઓએ લગભગ ત્રણ દશક સુધી ઘણી રોમેન્ટિક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓની એવરગ્રીન ફિલ્મ માં એક ફિલ્મ મેરા નામ જોકર પણ સામેલ છે જેમાં તેના અભિનયને લોકોએ ખુબ બિરદાવ્યો હતો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team