પત્નીએ વિચાર્યું કે જો પતિને કોઈ ભાઈ ન હોય તો આ બધી સંપત્તિ તેની થઈ જાય, એક દિવસ જયારે તેનો દિયર જમવા બેઠો ત્યારે ભાભીએ…
જુના જમાનાની વાત છે. અરવિંદભાઈ પોતાના બે દીકરા સાથે રામપુર માં રહેતા હતા. અરવિંદભાઈ ને ખુબ સારો વેપાર હતો. અનાજ કરિયાણા નો મોટો વેપાર હતો. મોટા દીકરા એ હવે કારોબાર સાંભળી લીધો હતો. અને નાનો દીકરો હજુ ભણતો હતો. અરવિંદભાઈ ની ખુબ જ ઇચ્છા હતી કે મોટા ને પરણાવી ને ચાર ધામ ની જાત્રા કરવા જવું છે. અને એ સમય પણ આવી ગયો મોટા દીકરા ના લગ્ન બે મહિના થઈ ગયા અને હવે અરવિંદભાઈ યાત્રા કરવા નીકળ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અરવિંદભાઈ ચાર મહિના પછી યાત્રા એ થી આવવાના હતા.સુખી ઘર હોવાથી ઘરમાં કોઈ જાતની તકલીફ નહોતી અરે ઘરમાં નોકર-ચાકર વગેરે પણ હતા. અને નવી વહુને તો ઘરનું કોઈ કામ કરવાની જરૂર જ ન રહેતી, સવારે તેનો પતિ દુકાને જાય અને તેના પતિ નો નાનો ભાઈ ભણવા માટે જાય.
અને સાંજે જ્યારે ભણીને નાનો ભાઈ પાછો આવે ત્યારે એ પણ દુકાને જતો અને રાત્રે જમવાનો સમય થાય ત્યારે બંને ભાઈ ઘરે રૂપિયાના થેલા ભરીને આવી જતા. ખૂબ જ સારો ધંધો થતો હોવાથી દરરોજ બન્ને ભાઈઓ દુકાનેથી સાથે આવે ત્યારે રૂપિયાના થેલા લઈને આવતા.
એક દિવસ પત્ની ને વિચાર આવ્યો કે જો મારા પતિને બીજો કોઈ ભાઈ ન હોત તો આ બધું મારા પતિનું જ હોત. અને આવા વિચારને કારણે તેના મનમાં ખોટ આવી ગઇ, એક દિવસ અચાનક જ તેઓના ઘરમાં રાત્રે ચોરી થઇ અને રૂપિયા ભરેલા થેલા અને તિજોરી માં રાખેલા અનેક દાગીના ચોરી થઈ ગયા.
જાણે વહુને તો હવે મોકો મળી ગયો હોય તેમ બધા લોકો સમક્ષ તે કહેવા લાગી કે આ ચોરી તેના દિયરે કરી છે. અને આ વાત તે ગામમાં પણ બોલવા લાગી અને પોતાના જ દિયર ને બદનામ કરવા લાગી. તેના પતિએ તેને ઘણું સમજાવવાની કોશિશ કરી પરંતુ તે માની નહીં અને દિયરને બદનામ કરવા અને ગમે તેમ કરી ને ઘર માંથી કાઢવા માટે અવનવા કાવતરા કરવા લાગી. જ્યારે મોટો ભાઈ જાણતો હતો કે આ ચોરીમાં તેના નાના ભાઈ નો કોઇ જ વાંક નથી.
આ ચોરીની જાણ રાજાને થઈ એટલે રાજાએ તેના સૈનિકોને ચોર પકડવા માટે આદેશ આપ્યો. સૈનિકો ચોર ને શોધવા લાગ્યા. ગણતરીના દિવસોમાં જ સૈનિકોએ ચોરને પકડી લીધા અને ચોરની સાથે રૂપિયા પણ પકડાઈ ગયા અને ઘરેણાઓ જેની ચોરી થઈ હતી તે પણ પકડાઈ ગયા.
ચોર પકડાઈ ગયા હોવાથી ગામમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું પરંતુ ઘરમાં વહુ તો જાણે ગમે તેમ કરીને તેના પતિના નાના ભાઈને ઘરમાંથી કાઢવા માગતી હતી. ચોર નું પ્રકરણ પૂરું થઈ ગયું ત્યાર પછી એક દિવસ નાનો ભાઈ જમતા જમતા બેહોશ થઇ ગયો. બધા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા કારણકે નાના ભાઈને નખમાંય રોગ ન હતો. મોટાભાઈએ ફોન કરીને તરત જ વૈદરાજને બોલાવ્યા.
તાકીદે વૈદરાજ પણ આવી ગયા અને તેની સારવાર કરવામાં આવી. જમવામાં ઝે_ર હતું તે ઉલટી કરાવીને બહાર કાઢવામાં આવ્યું. તરત જ આ વાતની ખબર રાજાના દરબારમાં પડી. એટલા માટે તે લોકોના ઘરે રસોઈ બનાવી રહેલા નોકરોને બોલાવવામાં આવ્યા.
રાજાએ જ્યારે કડકાઈથી પૂછ્યું ત્યારે નોકરે સાચી વાત કહી દીધી કે મોટા દીકરા ની વહુ એ મને નાના ભાઈ ની રસોઈ માં ઝે_ર નાખવાનું કહ્યું છે. ત્યારે નાનો ભાઈ ત્યાં આવી ને રાજા ને કહે છે કે આ બધી વાત ખોટી છે ભાભી એ નોકર ને ઠપકો આપ્યો હતો. જેથી તેને બદલો લેવા માટે ભાભી નું નામ આપ્યું છે. ઝે_ર તો હું જ લઇ આવ્યો હતો. મારુ ભણવામાં ધ્યાન ઓછું પડે છે અને પિતાજી ની ઇરછા છે કે હું ભણી ને આગળ આવું અને મોટા શહેર માં જઈ ને દુકાન કરું. પણ હું વધારે ભણી શકું તેમ નથી તેથી મેં જ મારી જમવાની થાળીમાં ઝે_ર ઉમેર્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આ જોઈને રાજા એ દિયર ને ચાર મહિના ની સજા આપી. અને ભાભી ને ઘરે જવાની છૂટ આપી. જે દિયરને પોતે ઘરમાંથી અલગ કરી દેવા માંગતી હતી. એ જ દિયર નો ત્યાગ, પ્રેમ અને બલિદાન જોઈને ભાભી રડવા લાગી. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. અને થોડા સમય પછી જ્યારે તેનો દિયર જેલ માંથી છૂટ્યો ત્યાર પછી ભાભી એ સગી માં જેવો પ્રેમ વરસાવ્યો અને થોડા દિવસ પછી અરવિંદભાઈ અને તેના પત્ની યાત્રા કરી ને આવ્યા.
ઘરે આવતા ઘરમાં બનેલી ઘટનાઓની ખબર પડી ત્યારે તે બંને લોકો વાત સાંભળીને તેના નાના દીકરા ના વખાણ કરવા લાગ્યા. આજે અરવિંદભાઈ અને તેની પત્નીએ આ પહેલા સંસ્કાર નું સિંચન જાણે બરાબર થયું હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.