મહાન ગાયિકા લતા મંગેશકરનું અવસાન: જાણો તેના વિશે અવનવી વાતો

હિન્દી સિનેમા જગત માટે રવિવારની સવાર એક ખૂબ જ દુખદ સમાચાર લઈને આવી હતી. સરસ્વતી પૂજા ના બીજા દિવસે જ સરસ્વતી નો સ્વર તેમજ તેનું ગાયન થંભી ગયું. મહાન ગાયિકા લતા મંગેશકરનું રવિવારે એટલે કે આજે સવારે દુઃખદ અવસાન થયું હતું.

ખરાબ સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાઈ રહેલા મહાન ગાયિકા લતા મંગેશકર નો નિધન આજે સવારે થયું હતું. તેઓની ઉંમર ૯૨ વર્ષની હતી તેઓના નિધન ની જાણકારી તેમની બહેન ઉષા મંગેશકર એ આપી હતી. જણાવી દઈએ કે તેઓ લગભગ એક મહિના થી મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા. જાણકારી અનુસાર આજે સવારે આઠ કલાક ને બાર મિનિટ એ તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિના ની આઠમી તારીખે તેઓને કોરોના નું સંક્રમણ પણ થયું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેઓ ની કોરોના ની તેમજ ન્યુમોનિયા ની સારવાર ચાલી રહી હતી. ૨૯ દિવસ સુધી કોરોના તેમજ ન્યુમોનિયા સાથે લડી રહ્યા હતા. તેઓને હોસ્પિટલના ICU વિભાગમાં રાખવામાં આવેલ હતા. સારવાર દરમિયાન તેઓની તબિયતમાં થોડો સુધારો પણ જોવા મળ્યો હતો જેને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટ્વિટર ઉપર નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સિવાય પ્રધાનમંત્રી તેમજ રાજકારણ અને બોલિવૂડ જગતની અનેક હસ્તીઓ શોક વ્યક્ત કર્યો હતો.

તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું મારું દુઃખ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. દયાળુ અને પ્રેમાળ લતા દીદી આપણને છોડીને ચાલ્યા ગયા છે. આપણા દેશને હવે એક એવી અપૂરતી ખોટ પડી છે જે ક્યારેય ભરી ન શકાય. આવનારી પેઢીઓ તેઓને ભારતીય સંસ્કૃતિના એક દિગ્ગજ રૂપમાં યાદ રાખશે જેની સુરીલી અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અદ્વિતીય ક્ષમતા હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જણાવી દઈએ કે લતા મંગેશકર એ લગભગ 78 વર્ષના કારકિર્દીના સમયગાળામાં અંદાજે ૨૫ હજાર ગીતો અને પોતાની અવાજ આપી હતી. અને તેઓને ઘણા પુરસ્કારો તેમજ ઘણા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ વખત તેઓએ રાષ્ટ્રીય એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. અને જણાવી દઈએ કે પોતાના મધુર અવાજથી લોકોના મન મોહી લેનારા લતા મંગેશકર ને અતિ પ્રતિષ્ઠિત ભારત રત્ન તેમજ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કારણથી તેઓનું અવસાન થયું

હોસ્પિટલ માં ઈલાજ થઈ રહ્યો હતો ત્યાંથી અવસાનના કારણ વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે લતા મંગેશકરના ઘણા અંગો એ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેઓનું અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા તેમજ જાન્યુઆરીમાં તેઓને ન્યુમોનિયા તેમજ કોરોના થી સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team

નોકર નહોતો, મકાનમાલિક હતો! અહંકારી દંપતી માટે કરોડોની કસોટી?

આજે બરાબર એક અઠવાડિયાથી રાજેશ અને નેહા આલીશાન મહેલ જેવા બંગલામાં કેદ હતા. બહાર દરવાજે પોલીસ અને બેંકના કર્મચારીઓનો જમાવડો હતો, જાણે કોઈ ગુને

By Just Gujju Things Team

કરોડપતિ સસરાએ ચાવાળા પિતાના પગે પડી રહસ્ય ખોલ્યું: 30 વર્ષ પહેલાંનું એ કરજ!

રમેશચંદ્ર શેઠ, જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાનજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા

By Just Gujju Things Team

પતિએ પર્સ ભૂલવાનું નાટક કર્યું, પત્નીએ 5 કરોડની હવેલી ગુમાવી, જાણો કેમ?

પાંચ કરોડની હવેલી, જે ક્યારેક અંજલિના સપનાનું ઘર હતું, તે આજે પારકી બની ગઈ હતી. એ ભવ્ય દરવાજા પાછળની દરેક યાદ, દરેક ખુશીનો પડઘો હવે દર્દ બનીને ગૂંજતો હતો

By Just Gujju Things Team