મહાન ગાયિકા લતા મંગેશકરનું અવસાન: જાણો તેના વિશે અવનવી વાતો

હિન્દી સિનેમા જગત માટે રવિવારની સવાર એક ખૂબ જ દુખદ સમાચાર લઈને આવી હતી. સરસ્વતી પૂજા ના બીજા દિવસે જ સરસ્વતી નો સ્વર તેમજ તેનું ગાયન થંભી ગયું. મહાન ગાયિકા લતા મંગેશકરનું રવિવારે એટલે કે આજે સવારે દુઃખદ અવસાન થયું હતું.

ખરાબ સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડાઈ રહેલા મહાન ગાયિકા લતા મંગેશકર નો નિધન આજે સવારે થયું હતું. તેઓની ઉંમર ૯૨ વર્ષની હતી તેઓના નિધન ની જાણકારી તેમની બહેન ઉષા મંગેશકર એ આપી હતી. જણાવી દઈએ કે તેઓ લગભગ એક મહિના થી મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા. જાણકારી અનુસાર આજે સવારે આઠ કલાક ને બાર મિનિટ એ તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિના ની આઠમી તારીખે તેઓને કોરોના નું સંક્રમણ પણ થયું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેઓ ની કોરોના ની તેમજ ન્યુમોનિયા ની સારવાર ચાલી રહી હતી. ૨૯ દિવસ સુધી કોરોના તેમજ ન્યુમોનિયા સાથે લડી રહ્યા હતા. તેઓને હોસ્પિટલના ICU વિભાગમાં રાખવામાં આવેલ હતા. સારવાર દરમિયાન તેઓની તબિયતમાં થોડો સુધારો પણ જોવા મળ્યો હતો જેને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટ્વિટર ઉપર નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સિવાય પ્રધાનમંત્રી તેમજ રાજકારણ અને બોલિવૂડ જગતની અનેક હસ્તીઓ શોક વ્યક્ત કર્યો હતો.

તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું મારું દુઃખ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. દયાળુ અને પ્રેમાળ લતા દીદી આપણને છોડીને ચાલ્યા ગયા છે. આપણા દેશને હવે એક એવી અપૂરતી ખોટ પડી છે જે ક્યારેય ભરી ન શકાય. આવનારી પેઢીઓ તેઓને ભારતીય સંસ્કૃતિના એક દિગ્ગજ રૂપમાં યાદ રાખશે જેની સુરીલી અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અદ્વિતીય ક્ષમતા હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જણાવી દઈએ કે લતા મંગેશકર એ લગભગ 78 વર્ષના કારકિર્દીના સમયગાળામાં અંદાજે ૨૫ હજાર ગીતો અને પોતાની અવાજ આપી હતી. અને તેઓને ઘણા પુરસ્કારો તેમજ ઘણા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ વખત તેઓએ રાષ્ટ્રીય એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. અને જણાવી દઈએ કે પોતાના મધુર અવાજથી લોકોના મન મોહી લેનારા લતા મંગેશકર ને અતિ પ્રતિષ્ઠિત ભારત રત્ન તેમજ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કારણથી તેઓનું અવસાન થયું

હોસ્પિટલ માં ઈલાજ થઈ રહ્યો હતો ત્યાંથી અવસાનના કારણ વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે લતા મંગેશકરના ઘણા અંગો એ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેઓનું અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા તેમજ જાન્યુઆરીમાં તેઓને ન્યુમોનિયા તેમજ કોરોના થી સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team