લગ્ન વખતે વહુ વરમાળા પહેરાવતી હતી, ત્યાં જ એક વડીલે વચ્ચે આવીને એવું કહી દીધું કે વરરાજા સહિત બધા લોકો…

ત્યાં હાજર બધા મહેમાનો ના ચહેરાના હાવભાવ ફરવા લાગ્યા. લગ્નનો માહોલ હતો પરંતુ આ વડીલ એ આગળ આવીને એવા શબ્દો કહી દીધું કે દરેક લોકો વિચારમાં પડી ગયા.

વડીલ ઊંડો શ્વાસ લઇને ફરી પાછું કહ્યું, આપણે લગ્ન માં બન્ને પરિવાર વચ્ચે એક પવિત્ર સંબંધ બનાવી રહ્યા છીએ કે પછી આ નવા સંબંધનો મજાક બનાવી રહ્યા છીએ? આપણી જ જીવન સંગીની ને આટલા બધા લોકો વચ્ચે આપણે મજાકનું પાત્ર શું કામ બનાવીએ છીએ?

અહીં કોઈ પ્રતિસ્પર્ધા નથી ચાલી રહી છે કે નથી આ કોઈ અખાડાનું મેદાન કે તમે એકબીજાથી સારા છો એવું દેખાડવા માંગતા હોવ. આ એક પવિત્ર મંડપ છે, પવિત્ર અગ્નિ નું આવાહન હોય છે.

ભગવાન શ્રી રામે પણ કેટલા સન્માન સાથે અને એકદમ સહજતાથી માથું ઝુકાવીને માતા સીતા પાસેથી વરમાળા પહેરી હતી?

લાગી રહ્યું છે કે આપણે દિવસેને દિવસે આપણી પરંપરા ભૂલવા લાગીએ છીએ.

આ એક આપણી પ્રાચીનકાળથી આવતી પરંપરા છે, લગ્ન એક પવિત્ર બંધન છે, અને મહેરબાની કરીને આને મજાક ન બનાવો. અને બીજાને પણ આના વિષે જ્ઞાન આપો.

એ વડીલ ની વાત સૌ કોઈ ના મગજ માં તરત ઉતરી ગઈ, ત્યાં ઊભા રહેલા વરરાજા અને વહુ એ પણ વડીલની વાત માનીને એકબીજા ને સહજતાથી વરમાળા પહેરાવી.

શું તમને આ સ્ટોરી સારી લાગી? જો હા તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં પ્રતિભાવ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel