જેને કંઈ ખબર નહોતી પડતી તેને ભગવાને દર્શન આપ્યા આ જોઈને સાધુએ ભગવાનને પૂછ્યું, “આવું કેમ?” તો ભગવાને એવો જવાબ આપ્યો કે…

આ બાજે અશોક તો ભૂખ નો માર્યો ઠાકર ને ખીજાવા માંડ્યો કે આટલી બધી વાર લગાડો છો બીજા ની હાલત કેવી થઇ તેની કઈ ખબર પડે કે નહિ.

ત્યાં તો રાધા કૃષ્ણ ની જોડી જમવા માટે હાજર થઇ ગઈ. બંને ને જમવા બેસાડી દીધા બંને એ જમી લીધું અને બનાવેલી રસોઈ તો પુરી થઇ ગઈ કારણ કે મહંતે કહ્યું હતું કે ઠાકર ને જમાડી ને જમજે એટલે અશોક બે વ્યક્તિ ને થાય એટલો સમાન કાઢ્યો હતો. અને રસોઈ બનાવી હતી. હવે અશોકમાં આળસ ના કારણે બીજીવાર રસોઈ બનાવવાની મરજી નો થઇ આશ્રમ માં આવી ને પાણી પી ને સુઈ ગયો તે બીજે દિવસે પરોઢીએ જાગ્યો.

આમ ને આમ બીજા દિવસે પાછું રસોડું ચાલુ થઇ ગયું હોવાથી અશોક ને પછી મજા પડી ગઈ થોડા દિવસ પછી ફરી એકાદશી આવી એટલે આગળ ના દિવસે જ મહંત ને કીધું કે કાલે હું ત્રણ વ્યક્તિ નો સમાન લઇ જઈશ. ગયા વખતે તમે મને મારી ને ઠાકર ની રસોઈ બનાવવાનું કીધું હતું, પણ ઠાકર ને તેની વહુ બંને આવી ને મારી બધી રસોઈ ખાઈ ગયા એટલે આ વખતે મારે ત્રણ જણા ની રસોઈ નો સમાન જોશે. મહંતે કીધું કે સારું લઈ લેજે અને મન માં વિચારવા લાગ્યા કે એમ કઈ ઠાકર થોડા જમી જાય હશે કોઈ આવી ને જમી ગયું હશે ને આને તેને ઠાકર સમજી લીધા હશે.

બીજે દિવસે ત્રણ જાણ નો સમાન લઇ ને અશોક તો ગયો ખેતર માં ને રસોઈ બનાવી ને થાળ તૈયાર કરી ને ઠાકર ને પ્રાર્થના કરી કે જમવા માટે પધારો આ બાજુ ભગવાન કૃષ્ણ અને રાધાજી તો તૈયાર જ હતા કે ભોળા ભગત ના ભાવથી મળતાં આમંત્રણ ને કેમ ઠુકરાવી દેવાય. બંને તૈયાર થઇ ને મહેલ ની બહાર આવ્યા ત્યાં તો સામે નારદ મુનિ મળ્યા નારદ મુનિ એ પૂછ્યું કે પ્રભુ હું તો એમ વિચારી ને આવ્યો કે અત્યારે મહેલ માં જાવ તો પ્રભુ પાસે બેસી ને સત્સંગ થશે અને સાથે સાથે પ્રસાદ પણ મળશે ભગવાને કહ્યું કે ચાલો મારી સાથે અમે પણ પ્રસાદ લેવા જઈએ છીએ.

અશોક ની પ્રાર્થના પુરી થઇ ને ત્રણેય ત્યાં હાજર જમવા બેસી ગયા અશોક ને થયું કે આ રાધા કૃષ્ણ તો બરોબર પણ આ દુબળો પાતળો શુ જમવાનો એટલે આ વખતે આપણા માટે જમવાનું બચશે. પરંતુ ત્રણે જામી ને ગયા ને પાછળ થી બધું જુવે તો બધી રસોઈ ખતમ પાછલી એકાદશી ની જેમ આ વખતે પણ આશ્રમ માં આવી અને પાણી પી ને સુવાનો વારો આવ્યો બીજા દિવસે મોટામહંત ને વાત કરી કે બંને અગિયારસે મારી સાથે આવું થયું ને મારે ફક્ત પાણી પી ને સુવાનો વારો આવ્યો.

અશોક ની વાત સાંભળી ને મોટામહંત પણ વિચાર માં પડી ગયા કે હોય ના હોય પણ દર વખતે કોઈ આવી રીતે આવી ને જમી ન જાય. આ વખતે ફરી એકાદશી આવતા અશોકે મોટા મહંત ને કીધું કે આ વખતે ચાર વ્યક્તિ નો સમાન જોઈશે કારણ કે પાછલી વખતે ઠાકર ને તેની પત્ની અને એક મહારાજ આવ્યો હતો. અને હું ત્યારે પણ ભૂખ્યો રહ્યો હતો, મોટામહંતે કહ્યું તારે જેટલો સમાન જોઈએ એટલો કાઢી લે.

અશોક પાછો ખેતરમાં જાય છે અને દર વખતની જેમ રસોઈ બનાવી ને ઠાકર ને જમવા માટે પ્રાર્થના કરે છે અને આ વખતે મોટામહંતે પાછળ થી આવી ને એક ઝાડ પાછળ થી આ બધું જોતા હતા. થોડીવાર માં રાધા કૃષ્ણ અને નારદજી જમવા માટે હાજર થઇ ગયા અને અશોક ની બનાવેલી રસોઈ ખુબ જ પ્રેમ થી આરોગીને બેઠા થયા ત્યાં જ મોટા મહંત આવ્યા ભગવાન ના દર્શન કરી ને અશોક ના પગે પડી ગયા કે અમે આટલા વર્ષો થી સેવા કરીયે છતાં તમે આશ્રમ માં કોઈ દિવસ દર્શન નો આપ્યા અને આ નવો ચેલો કે જે ને એકાદશીના દિવસે પણ બધું જમવા જોઈએ છે તેને તમે આજે ત્રણ એકાદશીથી દર્શન આપો છો અને તેને તો આ બાબત ની ખબર પણ નથી.

ત્યારે ભગવાને કહ્યું કે અશોક નો જે ભાવ હતો તેવો ભાવ થી તમારા આશ્રમ માં થી હજુ સુધી કોઈએ મને બોલાવ્યો નથી જેથી હું ત્યાં આવ્યો નથી આશ્રમ માં ઘણા જ્ઞાની વિદ્વાન છે પણ અશોક જેવા સરળ ભોળા નથી એટલે જ તો કહેવાય છે ને કે ભોળા નો ભગવાન.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપશો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel