ગણપતિજી એક વખત નાના બાળકનું રૂપ લઇને ધરતી પર આવ્યા, તેઓ શેરીએ શેરીએ જઈને કહેવા લાગ્યા કોઈ મારા માટે ખીર બનાવી આપો…

ત્યારે પેલી મહિલાએ તરત જ પૂછ્યું હું આટલી બધી ખીર બનાવીને શું કરીશ? આના ઉપર ગણપતિજી એ જવાબ આપ્યો કે આ ખીર બધા ગ્રામજનોને આપજો.

મહિલાએ ખૂબ પ્રેમથી અને મનથી ખીર બનાવવાનું શરૂ કર્યું જેમ જેમ ખીર બનતી ગઈ તેમ તેમ ખીરની અનેરી અને મીઠી મીઠી સુગંધ એક પછી એક ગામડાના દરેક ઘરમાં પ્રસરવા લાગી. ખીર બની ગયા પછી તે મહિલા દરેક ઘરમાં જઈને ખીર ખાવા નું આમંત્રણ આપવા લાગી.

લોકો તે મહિલાનો પણ મજાક ઉડાવી રહ્યા હતા. કારણ કે તે મહિલાના ઘરમાં પોતાને ખાવા માટે પણ પૂરતું ભોજન ન હતું અને એવામાં આ મહિલા દરેક ઘરે જઈને ખીર ખાવા નું આમંત્રણ આપી રહી હતી એટલે બધા લોકો તેના ઉપર હસી રહ્યા હતા અને તેનો મજાક ઉડાવી રહ્યા હતા.

પરંતુ જેમ જેમ દરેક લોકોના ઘરમાં ખીર ની સુગંધ ફેલાવા લાગી એમ બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો અને સુગંધના કારણે બધા લોકો તે મહિલાના ઘરમાં આવ્યા, જોતજોતામાં આખું ગામડું તે મહિલાના ઘરમાં ભેગું થઈ ગયું.

એ મહિલાની એક વહુ પણ હતી જે તે જ ગામડામાં રહેતી હતી, એને પણ જેવી આ વાતની ખબર પડી કે તરત જ પહેલા તે મહિલાના ઘરે પહોંચી ગઇ ત્યાં ઘરમાં જઈને જોયું તો ખીર થી ભરેલા વાસણો જોઈને તેના મોઢામાં પાણી આવી ગયું. તેને ખૂબ જ ભૂખ લાગી હતી તરત જ એક વાટકો લઈને તેમાં ખીર કાઢીને દરવાજાની પાછળ બેસીને ખીર નો આનંદ ઉઠાવવાની તૈયારી કરવા લાગી, તે દરવાજા ની પાછળ નીચે બેસવા ગઇ ત્યાં તેના વાટકામાં થી થોડી ખીર જમીન પર ઢોળાઈ. ગણપતિને ભોગ મળી ગયો અને તેઓ ખૂબ પ્રસન્ન થઈ ગયા.

હવે આખા ગામડાને ખીર ખવડાવી, મહિલા તેના ઘરમાં બેઠી હતી એવામાં તેનું ધ્યાન ગયું કે જે બાળક સ્નાન કરવા જાવ છું એવું કહીને ગયો હતો એ જ બાળક પાછો આવી રહ્યો હતો. બાળક આવ્યો એટલે તરત જ મહિલાએ કહ્યું ચલ બેટા ખીર તૈયાર છે, તું ભોજન કરી લે. ગણપતિજી એ કહ્યું માં, મને તો મારો ભોગ મળી ગયો છે મારું પેટ એકદમ ભરાઈ ગયું છે. હું તૃપ્ત થઈ ગયો છું હવે તું ખાઈ લે તેમજ તારા પરિવારને અને ગ્રામજનોને ખવડાવ. મહિલાએ જવાબ આપ્યો આ તો ખૂબ જ વધારે છે, બધા લોકોનું પેટ ભરાઈ જશે તેમ છતાં પણ આમાંથી ખીર બચી જશે. આટલી બધી ખીરનું હું શું કરું? ગણેશજી મહિલાને જવાબ આપ્યો બચેલી ખીરને અલગ અલગ વાસણમાં રાખી ને ઘર ના ચારે ખૂણા માં રાખી દેજો.

મહિલાએ એવું જ કર્યું, બધા લોકો એ ખાધી તેમ છતાં ઘણી ખીર બચી હતી એટલે જુદા જુદા વાસણમાં ખીરને રાખીને ઘર ના ચારે ખૂણા માં રાખી દીધી.

રાત પડી ગઈ હતી એટલે મહિલા સુઈ ગઈ, બીજા દિવસે સવારે ઊઠીને શું જોયું? તેને ઘરના ચારે ખૂણામાં જે વાસણમાં ખીર રાખી હતી એ જ વાસણમાં ખીર ની જગ્યાએ સોનામહોરો, હીરા, ઝવેરાત અને મોતી થી બધા વાસણ છલોછલ ભરેલા હતા. તે મહિલા એકદમ ખુશ થઈ ગઈ કારણ કે તેની બધી દરિદ્રતા દૂર થઇ ગઇ હતી અને હવે તે આરામથી રહેવા લાગી.

ગણેશજીને એટલી જ પ્રાર્થના કે જેમ મહિલાની ઉપર કૃપા વરસાવી એવી જ કૃપા આપણી ઉપર પણ વરસાવે. તો કહો ગણપતિ બાપ્પા મોરિયા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel