એક દાદા હોસ્પિટલમાં દાખલ થયાં, તેનાં બેડ પર રોજ કબુતર આવતું, આનું કારણ નર્સ ને જાણવા મળ્યું તો તેની આંખમાંથી…

એટલે હું એકલો જ રહું છું અને મને તબિયતમાં ઘણા દિવસોથી સારું નહોતું લાગતું આજે હિંમત કરીને નીકળી ગયો તો અહીં હોસ્પિટલે પહોંચી ગયો.

નર્સ દાદાની આ વાત સાંભળીને જવાબમાં કહ્યું તો પછી દાદા તમારા દીકરા નો ફોન નંબર હોય તો મને જણાવો તો હું તેને ફોન કરી શકું અને તમારી સાથે વાત કરાવી શકું.

દાદાએ ઈશારો કરી અને ના પાડી દીધી. પછી કહ્યું જવા દે ને બેટા, મારી ચિંતા થતી હોત તો એ મને સમયસર મળવા ના આવ્યો હોત? હવે ફોન કરીને બોલાવવાનું શું અર્થ છે?

દાદાએ આવો જવાબ આપ્યો એટલે નર્સ ત્યાંથી જતી રહી.

થોડા દિવસો સુધી દાદા એ હોસ્પિટલમાં જ દાખલ રહ્યા હતા. બે ત્રણ દિવસ સુધી તેને જોવા માટે કોઈ જ ન આવ્યું, પરંતુ બે દિવસ પછી નર્સ નું ધ્યાન પડ્યું કે બે દિવસથી એક કબૂતર તે દાદા ના બેડ પર આવે છે અને થોડા સમય સુધી બેસીને ફરી પાછું ચાલ્યુ જાય છે.

નર્સ ને આ વાત થોડી અજુગતી લાગી એટલે પહેલાં તો વિચાર્યું કે દાદા ને પૂછી લઈએ. પરંતુ તેને આ વાતને દાદાને પૂછવાનું યોગ્ય ન સમજ્યું.

પાછળથી તેને ખબર પડી કે હોસ્પિટલની બાજુમાં જ એક બગીચો હતો તે બગીચા પર દરરોજ દાદા કબૂતરને ચણ નાખવા માટે આવતા હતા.

એ બેઝુબાન પક્ષી ને દાદા એ ભોજન આપ્યું હતું કદાચ એટલા માટે જ એ પક્ષી દાદા ના બેડ પર આવીને થોડા સમય માટે બેસતુ ફરી પાછું જતું રહેતું.

નર્સની આંખનો ખૂણો ભીનો થઈ ગયો એ જ વિચારીને કે માણસમાં બુદ્ધિ તો ઘણી છે. માણસ પક્ષી કરતાં પણ ઘણું સમજદાર છે પરંતુ હજુ પણ અમુક માણસોને એ નથી સમજાતું કે જે માતા-પિતા એ આપણને નાનપણથી મોટા કર્યા છે તે જ માતા-પિતાને તેઓ મોટા થાય તેની વૃદ્ધવસ્થા માં આવે ત્યારે તેઓને સાચવવાની અને તેઓની સારસંભાળ લેવાની જવાબદારી આપણી જ છે.