છૂટાછેડા થયા પછી પત્નીએ એક વર્ષ પછી પતિને એક પત્ર લખ્યો, આ પત્ર વાંચીને તમારી આંખો ભીની થઈ જશે... છેલ્લે સુધી વાંચજો...

સોનલના છૂટાછેડા ને આજે એક વર્ષ પૂર્ણ થયું હતું ત્યારે તેની લગ્ન જીવન ની યાદો વાગોળતા તેને તેના પૂર્વ પતિ ની સાથે વાત કરવાની ઈચ્છા થઈ આવી. પણ તેની હિંમત ચાલી નહીં, અને એક પત્ર તેના પૂર્વ પતિ ને લખવાનું નક્કી કર્યું, અને લખવાનું ચાલુ કર્યું અને લખ્યું... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આજે આપણા છૂટાછેડા ને એક વર્ષ પૂરું થયું છે, પરંતુ આપણા લગ્ન જીવન ના સાત વર્ષ માં છેલ્લું એક વર્ષ બાદ કરતા પહેલા ના છ વર્ષ આપણે જિંદગી ને ખુબ જ માણી છે, પરિવાર ના બધા સભ્યો નો સ્વભાવ પ્રેમ અને લાગણી ભર્યું વર્તન અને મારુ સન્માન એવું રહેતું. જાણે સ્વર્ગ માં રહેતા હોય તેવું સુખ ભગવાને આપણને આપ્યું હતું.

જે મને કદી પણ ભુલાશે નહિ અને હવે ની જિંદગી માં મને એવા દિવસો ભોગવવા મળશે પણ નહિ. છેલ્લા એક વર્ષ માં કોણ જાણે શુ થયું કે આપણી જિંદગી માં રોજે રોજ કાંઈ ને કાંઈ વાત ને લઇ ને આપણા સંબંધો વણસી ગયા. અને અંતે ના થવાનું થયું. અને આપણે બંને એક વર્ષ પહેલા છૂટા પડ્યા.

અને આપણી જિંદગી ને હર્યાભર્યા બગીચા માંથી ભેંકાર રણ જેવી બનાવી દીધી હતી. હવે વિચાર આવે છે કે છ વર્ષ સુખ ના યાદ રાખવા કે એક વર્ષ દુઃખ નું ? પહેલા છ વર્ષ નું સુખ માણતા માણતા આપણે ક્યારે એકબીજા ની વાતો માંથી વાંધા કાઢતા થઇ ગયા એ મને હજુ સુધી સમજાતું નથી.

પણ નાની નાની વાતોમાંથી આપણે એકબીજાની લાગણી સમજ્યા નહિ અને એકબીજા થી દૂર થતા ગયા અને અંતે છૂટાછેડા ના રૂપે પરિણામ આવ્યું. ક્યારેક ક્યારેક હું આપણા જીવનની સુખો ની યાદો ના ફોટા લઇ ને બેસું છું.

ત્યારે આપણા મસ્તી કરતા ફોટા હરવા ફરવા ના સ્થળો એ પાડેલા મસ્તીખોર અને રોમેન્ટિક ફોટા, એકબીજા ના પ્રેમ અને લાગણી માં મશગુલ થયેલા ફોટા, આ બધા ફોટા માં નજર કરતા કરતા હું પણ એ સુખ ની પળ માં ખોવાઈ જાવ છું. પણ જયારે ફોટા ને પાછા રાખી દઉં છું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે એમ થાય છે કે કેવા માણસો છીએ આપણે આટલું બધું સુખ ભૂલી અને નાના દુઃખ માં છૂટાછેડા કરી નાખ્યા. અને નાની નાની ખરાબ વાતો ને આપણા હૃદય માં સંગ્રહ કરી રાખીયે છીએ, અને જેને હૃદય માં રાખવાનું છે, એ સુખ ને આપણે ફોટા માં રાખી દઈએ છીએ.

આપણો સ્વભાવ જ એવો થઇ ગયો હતો, કે કોઈ પણ વાતમાં વાંધો હોય કે ન હોય પરંતુ આપણે એ વાંધો શોધી લેતા અને માત્ર આટલું જ નહીં આપણા હિસાબે ઘરનું વાતાવરણ પણ તંગ બની જતું. ઘર ના સભ્યો અને વડીલો કે જે મને તેની દીકરી ગણતા હતા, તે પણ ફફડી ઉઠતા.

પરંતુ આ બધું વિચારી ને હવે શું ફાયદો ? શરૂઆત માં તો હું તને ખૂબ જ ધિક્કારતી, ખુબજ નફરત કરતી પણ સમય વહેતો રહે છે, તેમ માણસ ના વિચાર પણ બદલતા રહે છે. અને આજે હું મારા હૃદય માં રહેલી નફરત અને ધિક્કાર ને ભૂલી ને આ પત્ર લખું છું.

અને કાયમ ને માટે એક શ્રેષ્ઠ જીવન સાથી તારીખે તને યાદ કરતી રહીશ, કારણ કે જિંદગી માં સારા દિવસો ની સાથે ખરાબ દિવસો પણ આવે છે. અને સારા દિવસો યાદ રાખી, અને જીવન ને બગીચા જેવું સુંદર બનાવવું એ પણ આપણા હાથ માં હતું.

પણ એ હવે આપણી બંને ની લેણાદેણી ઉપર આધારિત છે, હું જેમ ખરાબ દિવસો ભૂલી ગઈ છું. તેમ તું પણ ભૂલી જઈશ એવી આશા રાખું છું, અને જીવન માં કરેલી ભૂલો માંથી શીખ લઇ ને આપણે હવે બંને ના નવા જીવન માં મળતી ખુશી સાથે શાંતિ થી જીવી શકીયે.

કારણ કે આપણા ભૂતકાળ થી મોટો શિક્ષક દુનિયા માંથી મળી શકશે નહિ, આપણા જીવન માં આપણે જ સમજી વિચારી ને દરેક પગલું ભરવાનું છે, આપણા છૂટાછેડા થયા કારણ કે આપણને નિભાવતા આવડ્યું નહિ, જેમ નદી માં નહાવા પડેલ વ્યક્તિ ડૂબી જાય છે. એટલા માટે કે તેને તરત નથી આવડતું, એમ જ કોઈ પણ પરિસ્થિતિ સમસ્યા ત્યારે જ બને છે, જયારે આપણને તેની સામે લડતા નથી આવડતું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team