એક વ્યક્તિએ સંતને પૂછયું આ દુનિયામાં બધું ભગવાને બનાવ્યું છે તો ખરાબી(દુષ્ટતા) પણ એને જ બનાવી? ત્યારે તે સંતે એવો જવાબ આપ્યો કે એ વ્યક્તિની…

એક ખૂબ જ વિદ્વાન સંત હતા, તેને ટોચની સંસ્થામાંથી પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. અત્યંત વિદ્વાન હતા અને સાધનામાં તેઓને ખૂબ જ રૂચી હતી. અને એટલા માટે જ તેઓએ સંત બનવાનો નિર્ણય કર્યો હતો.

આ સંત કાયમ સાધનામાં જ રચ્યાપચ્યા રહેતા, પરંતુ કોઈ વખત તેઓ બધા લોકો માટે એક સત્સંગ જેવું આયોજન કરતા જેમાં દરેક લોકો પોતાની સમસ્યાઓ મુશ્કેલીઓ જીવનના પ્રશ્નો વગેરે લઈને આવતા અને મહાત્મા તેને તેના જ્ઞાન પ્રમાણે તેની મુશ્કેલી માટે સમાધાન પણ કરી આપતા.

આ સંત ખૂબ જ વિદ્વાન હોવાની સાથે-સાથે એટલા જ આધ્યાત્મિક પણ હતા એટલે દરેક સવાલનો ખૂબ જ વિચાર કરીને પછી જ તેને જવાબ આપતા. અને તેના જવાબ થી લગભગ બધા લોકો ખુશ થઈ જતા.

આ સંત ધીમે ધીમે લોકપ્રિય થવા લાગ્યા, પરંતુ એક વખત તેના સત્સંગમાં એક માણસ આવ્યો જે પહેલાથી નક્કી કરીને આવ્યો હતો કે આજે તો આ સંતને હું એવા સવાલ પૂછીશ કે એ પોતે કન્ફ્યુઝ થઈ જશે કે આનો શું જવાબ આપવો?

સત્સંગ ચાલુ થયો બધા લોકો તેના એક પછી એક સવાલ પૂછવા લાગ્યા ધીમે ધીમે આ વ્યક્તિનો પણ સવાલ પૂછવાનો વારો આવ્યો. તેને માઈક લઈને જગ્યા પરથી ઊભા થઈને સંતને કહ્યું મહારાજ મારા મનમાં એક સવાલ છે હું પૂછી શકું?

લગભગ ૨૨થી ૨૩ વર્ષના એ છોકરાને સંતે કહ્યું બોલ ને બેટા તારા મનમાં શું સવાલ છે?

તે વ્યક્તિએ સંતને પૂછયું આ દુનિયામાં જે પણ કંઈ છે એ બધું ભગવાને બનાવ્યું છે?

સંત એ જરા પણ સમય લીધા વગર તરત જ જવાબ આપ્યો અને કહ્યું હા આ દુનિયામાં બધુ ભગવાને બનાવ્યું છે.

તે વ્યક્તિ થોડો હસવા લાગ્યો, માઈકમાં હસતો હોવાથી દરેક લોકો તેની સામે જોવા લાગ્યા તેને આ જવાબમાં શું કામ હસવું આવ્યું એ જ બધા માટે આશ્ચર્યનો વિષય હતો… પછી તે વ્યક્તિએ ફરી પાછું કહ્યું તો આનો મતલબ એ થયો કે આ દુનિયામાં જે પણ કંઈ ખોટું થઇ રહ્યું છે એટલે કે જે પણ કંઈ દુષ્ટતા રહેલી છે તો આ દુષ્ટતા પણ ભગવાને બનાવેલી જ વસ્તુ છે ને?

હવે સંત હસવા લાગ્યા, સંતે સહજતાથી કહ્યું શું નામ છે તારું બેટા? તે વ્યક્તિ એ જવાબ આપ્યો મારું નામ હિમેશ છે.

સંતે તેને કહ્યું હિમેશ આપણે આટલી જલ્દી આ નિષ્કર્ષ ઉપર પહોંચવાની જરૂર નથી, તો હિમેશે કહ્યું એવું કેમ? હમણાં જ તો તમે મને કહ્યું કે આ દુનિયામાં બધું જ ભગવાન નું બનાવેલું છે અને હવે થોડા જ સમય પછી તમે બદલાઈ ગયા? હવે કેમ આવી વાત કરો છો?

એટલે સંતે તેને કહ્યું હિમેશ હું બદલાઈ નથી ગયો હું તને સામે બે સવાલ પૂછવા માંગુ છું એપ સવાલના જવાબ આપી દે પછી હું તું જે કહે છે એ પ્રમાણે માની લઈશ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel