દેશ માં ભુતીયા મનાતા ભાનગઢના કિલ્લાનું રહસ્ય અને સત્ય…

પરંતુ રાજકુમારીને આ વાતની ખબર હોય કે કેમ પણ તેને તે અત્તરની બોટલ ઉઠાવી અને બાજુમાં રહેલા પથ્થર ફેંકી અને પથ્થર પર બોટલ અડવાની સાથે જ બધું અત્તર તે પથ્થર ઉપર વિખરાઈ ગયું. પછી એ પથ્થર આપમેળે જ પેલા માણસની પાછળ ચાલ્વા લાગ્યો. અને એ માણસને કુચલી નાખ્યો. જેનાથી પેલો માણસ ત્યાં ને ત્યાં મ્રુત્યુ પામ્યા. પરંતુ મરતા પહેલા એ માણસે શ્રાપ આપ્યો કે આ કિલ્લામાં રહેવાવાળા બધા લોકો જલ્દી જ મ્રુત્યુ પામશે. અને આ લોકો ફરી પાછાં પુનર્જન્મ નહીં લઈ શકે. અને તેની આત્મા સદાકાળ માટે આ કિલ્લામાં જ ભટકતી રહેશે!

આ માણસ ના મોત થયાના લગભગ મહિના પછી ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું. જેમાં આ કિલ્લામાં રહેવાવાળા બધા લોકો માર્યા ગયા. ત્યાં સુધી કે રાજકુમારી રત્નાવતી પણ એ શ્રાપથી બચી શકી નહીં અને એ પણ મૃત્યુ પામી. એક જ કિલ્લામાં આટલા મોટા કત્લેઆમ પછી ત્યાં મોતની કીલકારીઓ ચારેબાજુ ગુંજવા લાગી અને આજે પણ આ બધાં લોકોની આત્માઓ ત્યાં ભટકે છે.

હાલમાં આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર કરે છે કિલ્લાની ચારેબાજુ એ.એસ.આઇ.ની ટીમ મોજૂદ રહે છે. અને આ ભાનગઢની ટેરીટરીની બહાર ભારત સરકાર દ્વારા ચેતાવણી બોર્ડ મારેલું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા આ વિસ્તારમાં કોઈએ જવું નહીં. અને એવું કહેવામાં આવે છે કે આ કિલ્લામાં જે પણ લોકો સૂર્યાસ્ત બાદ ગયા છે તે ફરી પાછી કદાપિ પાછા આવ્યા નથી. અને અંદર રહેલી આત્માઓ ઘણી વખત માણસોને પરેશાન કરે છે! અને ઘણા લોકોએ એના કારણે પોતાની જાનથી હાથ ગુમાવવો પડ્યો છે!

પુરાતત્વ ખાતાનું બોર્ડ કે જે અગાઉ વાત કરી એમ ભાનગઢ ની ટેરીટરીમાં એન્ટર થતા પહેલા જોવા મળે છે!

ઘણી વખત આ કિલ્લાની વાત પારખવા ઘણા લોકોએ મહેનત કરી છે એક વખત ભારતીય સરકારની અર્ધસૈનિક દળની ટુકડીઓ આ જગ્યા પર ગઈ હતી જેથી કરીને તે આ કિલ્લાનું રહસ્ય અને સચ્ચાઈની હકીકત ને જાણી શકે પરંતુ આ ટુકડી પણ અસર અસફળ રહી હતી અને કેટલાક સૈનિકો નું માનવું છે કે તેઓને આત્મા નો અહેસાસ થયો હતો આ કિલ્લામાં આજે પણ જયારે તમે એકલા હોવ ત્યારે તલવારોની રણકાર અને લોકોની મર્યા પહેલાં ચીસો મહેસૂસ થાય છે.

References: Online & Offline Sources, Wikipedia

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel